SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ પ્રમાણે બાર વ્રત હોય છે. ૫ અણુવ્રત | જેમ પિતાની અપેક્ષાએ પુત્ર નાનો હોય છે તેવી જ રીતે આ પાંચ વ્રતો સાધુઓનાં પાંચ મહાવ્રતની અપેક્ષાએ નાના હોવાથી અણુવ્રત કહેવાય છે. અણુ એટલે પાતળું. કર્મને પાતળાં પાડનાર હોવાથી પણ આ વ્રતો અણુવ્રતો કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. પહેલું અણુવ્રત – સ્થૂલ પ્રાણાતિપાત વેરમણ અણુ એટલે નાનું. શ્રાવકે સ્કૂલ જીવોની હિંસાથી નિવર્તવું. જીવ બે પ્રકારના છે. (૧) સ્થાવર, (૨) ત્રસ. શ્રાવકને સંસારમાં રહેવાનું હોવાથી સ્થાવર જીવોની હિંસાથી નિવર્તવું દુષ્કર છે. એટલા માટે સ્થૂલ પ્રાણાતિપાતની વાત કરી છે. (બેઇન્દ્રિય થી પંચેન્દ્રિયની) હિંસા પોતે કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, એ બે કરણથી અને મન, વચન, કાયાના યોગથી ત્રસની હિંસાની નિવૃત્તિરૂપ વ્રતનું આચરણ કરે. પહેલા વ્રતના આગાર - (૧) કોઈ પણ સારા કાર્યની પ્રશંસા કરવી પડે. (ર) સ્વજન, પરજનના શરીરમાં કમિ આદિ જીવોત્પત્તિ થઈ ગઈ હોય તો દવાદિ કરાવવી પડે છે. (૩) શત્રુથી બધાનું રક્ષણ કરવા માટે સંગ્રામ કરવો પડે. (૪) સ્થાવરકાયના ઉપયોગમાં બચાવવાનો ઉપયોગ રાખવાં છતાં ત્રણ જીવની હિંસા થઈ જાય છે. તેનું પાપ લાગે છે પણ વ્રતનો ભંગ થતો નથી. બાર પ્રકારના “અવતકહ્યાં છે. છ કાયનાં અવ્રત, પાંચ ઇન્દ્રિયોના અને ૧ મનનું. આ બાર અવ્રતમાંથી પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને ત્રસ જીવના ૧ અવ્રત સિવાય બાકીનાં ૧૧ અવ્રત લાગે છે. ત્રસ જીવની હિંસા થાય તેવાં કાર્યો જાણીબૂઝીને શ્રાવક કરે નહિ. એટલા માટે જે જે કાર્યોમાં ત્રસ જીવોની હિસા થતી હોય તેવાં કાર્યોમાંથી કેટલાંક અહીં દર્શાવીએ છીએ, તેનાથી શ્રાવકે નિવૃત્ત થવું જોઈએ. (૧) પ્રહર રાત્રિ વીત્યા પછી અને સૂર્યોદય પહેલાં મોટે અવાજે બોલવું નહિ. શ્રી જૈન તત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy