SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકના ગુણ (મનહર છંદ) મિથ્યા મતભેદ ટાળી, ભયા અણુવ્રત ધારી એકાદશ ભેદ ભારી, હિરદ વહત છે. સેવા જિનરાજકી હૈ, યહ સિરતાજકી છે, ભક્તિ મુનિરાજ કી હૈ, ચિત્તમેં ચહત છે. નિવારી વિષય અરુ, ભોજન અભક્ષ્ય પ્રીતિ, ઇન્ટ જો કો જીતી, ચિત્ત સ્થિરતા ગહત છે. રાભાવ સદા વરે, મિત્રતા પ્રમાણ કરે, પાપ મિલ પકે હરે, શ્રાવક સો કહત હે. અર્થ સમકિત પ્રાપ્ત કર્યા પછી જે શ્રાવક વ્રત ધારણ કરે છે તે મિથ્યાત્વના બધા રીતરિવાજ છોડી દે છે અને અણુવ્રત, ગુણવ્રત તથા શીલવ્રતનું પાલન કરે છે. અવસર પ્રાપ્ત થતાં શ્રાવકની ૧૧ પડિમા પણ આદરે છે. આવા શ્રાવકો વીતરાગની આજ્ઞામાં જ ધર્મ માને છે, સદૈવ મુનિરાજોની સેવા કરતા રહે છે, વિષય કષાય મંદ પાડવામાં નિરંતર ઉદ્યમી રહે છે. રસનેન્દ્રિયને કાબુમાં રાખી ઇન્દ્રિયોની લોલુપતાનો ત્યાગ કરે છે, જિતેન્દ્રિય થઈને ચિત્તવૃતિને સ્થિર કરે છે. સર્વ પ્રાણીઓ પર દયાભાવ તથા મૈત્રી ભાવ રાખે છે. અનાથ, અપંગ દુઃખી જીવોને યથાશક્તિ સહાય કરે છે અને કઠોરવૃત્તિનો ત્યાગ કરી સ. નમ્રભાવે ધારણ કરે છે. આટલાં ગુણોનો ધારક હોય તે શ્રાવક કહેવાય છે. શ્રાવકનાં ૧૨ વ્રત જેવી રીતે તળાવમાં પાણીની આવક રોકવા માટે તેમાં જે જે પાણી આવવાનાં નાળાં હોય તેને બંધ કરી દેવાં પડે છે, તેવી રીતે આત્મરૂપ તળાવમાં પાપરૂપ પાણી આવતું રોકવા માટે ઇચ્છાનું નિર્ધન કરવું ઇચ્છાપો ને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહેવામાં આવે છે. આ વ્રતો બે પ્રકારે ગ્રહણ કરી શકાય છે, (૧) જેઓ સર્વથા પાપ વ્યાપારથી નિર્વતે છે તેવા સાધુ સર્વવિરતિ કહેવાય છે અને (૨) જે આવશ્યકતા અનુસાર છૂટ રાખી શક્તિા પ્રમાણ ઇચ્છાનો નિરોધ કરે છે તેઓ દેશવિરતિ (શ્રાવક) કહેવાય છે. તેમાં શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy