SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મકલ્યાણ અર્થે દૃઢ લક્ષયુક્ત, પાપકાર્યથી નિવૃતિ પામેલો અને યથાર્થ લોકસ્વરૂપનો દર્શક હોય છે તેને કોઈ પણ દુઃખી કરી શકતુ નથી. ઇતિ ચતુર્થ ઉદ્દેશ. આ તત્ત્વદર્શી સત્પુરુષ નો અભિપ્રાય છે કે જે કોઈ તે પ્રમાણે ચાલશ તે આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ સર્વ દુઃખોનો નાશ કરી અનંત, અક્ષય, અવ્યાબાધ સુખોનો ભોક્તા બનશે. સમ્યક્ત્વનું સ્વરૂપ શાસ્ત્રો અને ગ્રંથોમાં દર્શાવ્યું છે. તે જ પ્રમાણે અહીં કહેવામાં આવ્યું છે. ધર્મનું પગથિયું સમકિત છે. અથવા સમકિત સહિત કરેલો ધર્મ જ અનંત કર્મ વર્ગણાની નિર્જરારૂપ મહાફળને આપનાર નીવડે છે. એમ જાણી ધર્મના યર્થાથ ફળને ઇચ્છનારે સમ્યક્ત્વ રત્ન અવશ્ય પ્રાપ્ત કરવું જોઈએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬માં અધ્યયનમાં કહ્યું છે. सम्मदंसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा । इय जे मरंति जीवा, तेसिं सुलहा भवे बोही ॥ २५९॥ અર્થ : જે જીવ મિથ્યાત્વ અને રાગદ્વેષના મળરહિત હોય છે તથા કલેશ રહિત શાંત સ્વભાવી બની જાય છે અને જિનપ્રણિત શાસ્ત્રાનુસા૨ તથા નિયાણા રહિત નિર્મળ કરણી કરવામાં તત્પર રહે છે તે સ્વલ્પ સંસારી થાય છે. અર્થાત્ ભવોભવમાં સુલભતાથી બોધિબીજને પ્રાપ્ત કરી શીઘ્ર મોક્ષને પ્રાપ્ત કરી લૅ છે. मिच्छा दंसणरत्ता, सनियाणा कण्हलेसमोगाढा । इय जे मरन्ति जीवा, तेसिं पुण दुल्लहा बोही ॥ २६०॥ અર્થ : જે જીવ મિથ્યાદર્શનમાં અનુરક્ત રહે છે, તે પાપકર્મ કરે છે. અને કૃષ્ણ લેશ્યાવાળા થાય છે. અને એવા જીવને બોધિ (સદ્ધર્મની પ્રાપ્તિ) દુર્લભ થઈ પડે છે. जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करन्ति भावेणं । अमला असंकिलिठ्ठा, ते होन्ति परित्तसंसारी ॥ २६९ ॥ અર્થ : જે જીવ જિનવચન (સિદ્ધાંત વાણી)માં અનુરક્ત રહે છે અને તે પ્રમાણે ભાવથી આચરણમાં ઉતારી વર્તે છે તે મળરહિત અને (મોહ મત્સરાદિ) ક્લેશરહિત થાય છે અને કાળે કરીને સંસારથી મુક્ત થાય છે. સમકિત અધિકાર |૩૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy