SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ કરણીના ફળ ઈશ્વરે જ ભોગવવાં જોઈએ. પછી ઈશ્વરમાં અને જીવમાં કશું અંતર રહ્યું નહિ. પાછલા પ્રકરણોમાં આ વિષે ઘણું વિવેચન થઈ ગયું છે અને અનેક યુક્તિઓ અને પ્રમાણોથી સિદ્ધ કરી ચૂક્યા છીએ કે કર્મનો કર્તા આત્મા જ છે વ્યવહારથી આત્મા કર્મનો કર્તા છે અને નિશ્ચયથી પોતાના ભાવનો કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે ઃ ઉક્ત પ્રમાણોથી આત્માના કર્તૃત્વપણાનો તો કેટલાક સ્વીકાર કરે છે અર્થાત્ આત્મા કર્મનો કર્તા છે એમ માને છે. પણ કર્મ જડ હોવાથી તે ગમાનાગમન કરી શકતાં નથી તેથી તે અહીં જ રહી જાય છે અર્થાત્ જીવની સાથે જતાં નથી અને તેટલા માટે કૃતકર્મનું ફળ ભોગવનાર આત્મા નથી આવું માનનારે વિચારવું જોઈએ કે, જેમ મદિરાપાન કરનારા જ્યાં જાય છે ત્યાં તે જડ મદિરાના ગુણના પરિણામરૂપ નશો તેની મુદત પાકતાં જરૂર ચડે છે. તેવી જ રીતે કૃતકર્મનો રસ આત્મપ્રદેશમાં પરિણમી જીવની સાથે જાય છે અને તેના શુભાશુભ ફળ અબાધાકાળ (અંતરકાળ) પૂર્ણ થયા બાદ અવશ્ય ભોગવવાં જ પડે છે. વ્યવહારથી આત્મા કર્મફળનો ભોક્તા છે અને નિશ્ચયથી પોતાના ભાવનો ભોક્તા છે. (૫) આત્માનો મોક્ષ છે : ઉપરોક્ત પ્રમાણોથી કેટલાક આત્માનું અસ્તિત્વ કર્તૃત્વ અને ભોક્તૃત્વ વગેરે સ્વીકારે છે; પણ કહે છે કે, જેવી રીતે આ સંસાર અનાદિ અનંત છે તેવી જ રીતે આત્મા અને કર્મનો સંબંધ પણ અનાદિ અનંત છે. કર્મ કરવા અને તેના ફળ ભોગવવા એવો વ્યવહાર અનાદિ કાળથી ચાલતો આવ્યો છે અને અનંતકાળ સુધી ચાલતો રહેશે. કેટલાક એવું માને છે કે જે પદાર્થની આદિ હોય તેનો જ અંત હોય અને જે અનાદિ હોય છે તે જ અનંત હોય છે. એમણે જાણવું જોઈએ કે, વંશ પરંપરા અનાદિ છે. એ મનુષ્યની પિતા, પિતામહ વગેરે પેઢીઓ ગણતાં તેની ક્યાંય આદિ હોતી નથી, મતલબ કે તે અનાદિ છે છતાં કોઈ મનુષ્ય બાલબ્રહ્મચારી રહે અથવા નિર્વંશ મરી જાય તો વંશપરંપરાનો જે અનાદિ સંબંધ છે તે તૂટી જાય છે, અર્થાત્ ત્યાં અનાદિ સાંતનો વિકલ્પ લાગુ થાય છે. એવી જ રીતે કૃતિકા અને સુવર્ણનો સંબંધ અનાદિકાળનો હોવા છતાં અગ્નિ, ક્ષાર અને સુવર્ણકાર વગેરેનો યોગ મળતાં તે અનાદિ સંબંધ છૂટી શુદ્ધ સુવર્ણ માટીથી અલગ થઈ જાય છે. એ જ પ્રમાણે આત્મા પણ અનાદિ કર્મ સંબંધથી છૂટી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only ૩૧૩ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy