SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં એક જીવની કે એક પરમાણુની કદાપિ વધઘટ થશે નહિ. પરંતુ પરમાણુમાં એકઠા થવાનો તેમજ વિખરાવવાનો સ્વભાવ હોવાથી જડ પદાર્થોનું રૂપાંતર થતું રહે છે, પણ જીવમાં આમ થતું ન હોવાથી તે સદેવ એકરૂપે શાશ્વતો રહે છે; તેની સાબિતિ એ છે કે પહેલી ક્ષણમાં આપણને જે અનુભવ થયો હતો તેનું જ્ઞાન પછીની ક્ષણમાં પણ કાયમ રહે છે એટલે વસ્તુનો પલટો થાય છે પણ તેનો અનુભવ કરનાર (આત્મા)નો પલટો થતો નથી . જો જીવની ઉત્પત્તિ કે નાશ થતાં હોય તેમજ ક્ષણ ક્ષણમાં તેનો પલટો થતો રહેતો હોય તો પછી ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ વગેરેનાં ફળ ભોગવનાર જગતમાં કોઈ રહે નહિ. પણ આ વાત પ્રમાણ વિરૂદ્ધ છે. કેમકે જગતમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ શ્રીમંત, કોઈ ગરીબ વગેરે અનેકવિધ વિચિત્રતાઓ પ્રત્યક્ષ જોઈ શકાય છે અને તે જીવનાં સ્વકૃત કર્મનું જ ફળ છે. વળી ઊંદર અને બિલાડીને જન્મથી જ વેર છે એ પૂર્વજન્મને સિદ્ધ કરનારું પ્રમાણ છે. જીવો પૂર્વે કરેલા કર્મ હમણાં ભોગવે છે; હમણાં કરે છે તેનાં ફળ ભવિષ્યમાં ભોગવશે. જીવના શરીરનો પલટો થતો રહે છે પણ જીવનો પોતાનો પલટો થતો નથી, તે તો સદા શાશ્વત છે તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ન્યૂનાધિક થતો નથી, આ નિશ્ચય માનવું દ્રવ્યથી આત્મા નિત્ય છે, પર્યાય (અવસ્થા) થી અનિત્ય છે. (૩) આત્મા કર્તા છે : ઉક્ત પ્રમાણોથી કેટલાક આત્માને નિત્ય તો માને છે પણ કહે છે કે, આત્મા સ્વાધીન નથી પણ ઈશ્વરાધીન છે, એટલે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ સંસારનાં સઘળા કાર્યો થતાં રહે છે. જો આત્મા સ્વાધીન હોય તો દુઃખી શા માટે થાત? તેથી આત્મા કર્તા નથી. આવું માનનારાઓએ સમજવું જોઈએ કે, જે કરે તે જ ભોગવે. જેણે કર્મ કર્યું તેણે જ તેનું ફળ ભોગવવું જોઈએ. જો ઈશ્વર જ બધું કરનાર હોય તો કોઈ પણ પદાર્થનો મૂળમાંથી કદાપિ નાશ થતો નથી કેવળ રૂપાંતર જ થાય છે. જેમ ઘડો ફૂટવાથી ઘડાની પર્યાય (આકાર)નો નાશ થયો, પરંતુ કૃતિકાનો નાશ થયો નથી. કૃતિકાના બારીક અણુઓ છૂટા પડી ગયા પછી પણ કાળાંતરે તે જ પરમાણુ માટીનાં વાસણની પર્યાયરૂપ બની શકે. આમ, જડ પદાર્થનો પણ સમૂળ નાશ થતો નથી. તો પછી ચેતનનો નાશ કેવી રીતે થાય? ઘટ પટાદિની પર્યાય જેમ પલટે છે તેમ શરીરની પર્યાયો પણ પલટતી રહે છે; પણ જીવનો નાશ કદાપિ થતો નથી. જીવ અસંખ્યાતા પ્રદેશી દ્રવ્ય છે. તેવું જ સદા શાશ્વત રહે છે. ૧૨. સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy