SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સંબંધ બે પ્રકારના છે. (૧) સમવાય અને (૨) સંયોગ. આત્મા અને તેનો ઉપયોગ ગુણ, સુવર્ણ અને તેનો પીળાપણાનો ગુણ એ સમવાય સંબંધ કહેવાય. તે અનાદિ અનંત સંબંધ છે, પણ જીવ અનેક કર્મનો અથવા સુવર્ણ અને માટીનો સંબંધ તે સંયોગ સંબંધ છે; અને તે અનાદિ સાંત પણ હોઈ શકે છે. જીવને અનાદિકાળથી કર્મ લાગેલાં છે એ ખરું છે. પણ જે કર્મો અનાદિ કાળ પહેલાં હતાં તેનાં તે જ અત્યારે પણ છે એમ નથી. કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તો ૭૦ ક્રોડાક્રોડ સાગરોપમની છે. એટલે કર્મ બાંધવાં, છોડવાં, વળી બાંધવાં વગેરે વ્યવહાર અનાદિકાળથી ચાલ્યો આવતો હતો તે પૂર્વોક્ત વંશપરંપરાના દૃષ્ટાંતે બંધ પડતાં આત્માનો મોક્ષ પણ થઈ જાય છે. નવાં કર્મ આવતાં ઓછાં ઓછાં થતાં જાય અને જૂના કર્મ વધારે ખપતાં જાય તો એક વખત એવો જ આવે કે સર્વ કર્મનો નાશ થઈ જાય. (૬) મોક્ષનો ઉપાય છે : ઉપરનું કથન સાંભળીને મુમુક્ષુઓને મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય જાણવાની જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. તેમણે જાણવું જોઈએ કે, જેવી રીતે સુવર્ણકાર માટીમાંથી સોનાને પૃથક્ કરવા માટે કુલડીમાં સોનાને સ્થાપન કરી ક્ષાર અને અગ્નિના પ્રયોગ વડે માટીને બાળીને શુદ્ધ સુવર્ણ કાઢી લે છે, તેવી જ રીતે જ્ઞાનરૂપ સુવર્ણકાર દ્વારા સમજાણું કે આઠ કર્મરૂપ મૃતિકામાં આત્મસુવર્ણ મિશ્રિત છે તેને પૃથક્ કરવું ઉચિત છે. ત્યારે બધા ગુણના ભાજન સમ્યક્ત્વરૂપ કુલડીમાં સ્થાપન કરી તેની સાથે આત્મા અને કર્મને છૂટાં પાડનાર ચારિત્રરૂપ ક્ષારનો પ્રયોગ મેળવી અર્થાત્ ચારિત્રધર્મનો સ્વીકાર કરી કર્મરૂપ મેલને ભસ્મીભૂત કરનાર તપરૂપ અગ્નિના પ્રયોગથી બાળી નાખે, બાહ્ય તપથી બાહ્ય ઉપાધિને ભસ્મ કરે, આપ્યંતર તપથી આપ્યંતર ઉપાધિને ભસ્મ કરે, આ પ્રકારે આત્મા અને પરમાત્માની એકતારૂપ ધ્યાનથી કર્મરૂપ મેલથી આત્મરૂપ સુવર્ણને પૃથક્ કરે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે. જેવી રીતે ભટકતો માણસ સ્વસ્થાનને પ્રાપ્ત કરી સ્થિર થઈ સુખી થાય છે, તેવી જ રીતે અનાદિકાળથી મિથ્યામાર્ગે ચડી ભૂલો પડેલો આત્મા ઉક્ત છ સ્થાનનો વિચાર કરી, સુધર્મના સ્વરૂપને યથાતથ્ય સમજવાથી સમ્યક્ત્વ સ્થાનમાં સ્થિર થઈ સુખી થાય છે. ૩૧૪ Jain Education International સમકિત અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy