SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જ ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરી શકાય છે. સમકિત એ ધર્મનો દરવાજો છે; અને ધર્મ એ આત્મિક રિદ્ધિ અને સુખ પ્રાપ્તિનું સર્વોત્કૃષ્ટ સાધન છે. (૩) ધર્મપ્રસાદનો સમકિત પાયો : જો ઇમારત કે મહેલનો પાયો મજબૂત હોય તો તેના ઉપર ગમે તેટલા માળ કરવા હોય તો થઈ શકે અને ચિ૨-સ્થાયી રહી શકે. તેવી જ રીતે ધર્મરૂપ મકાન તેના સમતિરૂપ મજબૂત પાયા વડે જ ટકી શકે છે અને તેના ઉપર સંવર કરણી વગેરે મજલા બનાવી શકાય છે અને તે અચલ રહી શકે છે. (૪) ધર્મરત્ન સમકિતરૂપ પેટી : જેવી રીતે મજબૂત પેટી (તિજોરી) માં રાખેલું જવાહિર ચોર લઈ જઈ શકતા નથી, તેવી જ રીતે સમકિતરૂપ મજબૂત પેટીમાં સ્થાપન કરેલ ધર્મકરણીરૂપ રત્નોને કામ, ક્રોધાદિ ચોરો પણ લઈ જઈ શક્તા નથી. (૫) ધર્મ ભોજન સમકિત ભાજન : જેમ ઘૃત, પકવાન, સાકર, ચોખા વગેરે ભોજનને થાળી, કટોરા વગેરે ધારણ કરી રાખે છે, તેવી જ રીતે ધર્મકરણીરૂપ આત્મગુણના પોષક ઇષ્ટ મિષ્ટ ભોજનને સમકિત રૂપ ભાજન (પાત્ર) ધારણ કરી રાખે છે. ભાજન વિના ભોજન રહી શકતું નથી તેવી જ રીતે સમકિત વિના ધર્મ પણ રહી શકતો નથી. (૬) ધર્મ કરિયાણું સમકિત કોઠી : જેમ મજબૂત કોઠીમાં રાખેલા બદામ, પિસ્તા વગેરે કરિયાણાં કીડા, ઉંદર તથા ચોરાદિના ઉપદ્રવથી સુરક્ષિત રહી શકે છે, તેવી રીતે સમકિત રૂપ કોઠીમાં સ્થાપિત કરેલા ધર્મકરણી રૂપ કરિયાણાને મિથ્યાત્વ વિષય કષાય આદિ કીડા, ઉંદર, ચોર ઉપદ્રવ કરી શકતા નથી. સમકિતી તે ધર્મનો રક્ષક છે. ઉક્ત છ પ્રકારની ભાવના જે સમકિતી ભાવતો રહે છે અને તે પ્રમાણે વર્તન કરતો રહે છે સમકિત અને ધર્મને અન્યોન્ય કાર્યકારણ ભાવરૂપ જાણી દૃઢ નિશ્ચલ રહી શકે છે. સ્થાનક ૬ (૧) આત્મા છે : ઘટપટાદિની જેમ આત્મા પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થતો ન હોવાથી કેટલાક નાસ્તિકો કહે છે કે, જેમ સૂત્રધાર વસ્ત્ર કાષ્ટની પૂતળીઓને દોરીથી સમકિત અધિકાર ૩૧૦ બારમે બોલે Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy