SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનો હુકમ કરે તો સમકિતી રાજાના જુલમથી ડરી સમકિત વિરુદ્ધ કાર્ય પશ્ચાત્તાપયુક્ત કરે તો સમકિતનો ભંગ થાય નહિ. (૨) ગણાભિઓગણું : ઉપર પ્રમાણે સમકિતીના કુટુંબી, જ્ઞાતિ, સમાજ વગેરે જેઓ અન્ય મતાવલંબી હોય તેઓ જાતિ બહાર કરવા આદિની ધમકી આપીને કુલદેવ, કુલગુરુ આદિને નમન પૂજન કરવાનું દબાણ કરે અને સમકિતી ભયભીત થઈને તે કાર્ય પશ્ચાત્તાપયુક્ત કરે તો સમકિતનો ભંગ થાય નહિ. (૩) બલાભિઓગણે કદાચ કોઈ ધનબલી, જનબલી, તનબલી અથવા વિદ્યા (મંત્રાદિ) બલી સમકિતીથી વિરૂદ્ધ આચરણનું સમકિતીને કહે અને સમકિતી તેને વશવર્તી થઈ, તેમના જુલમથી ડરી પશ્ચાત્તાપયુક્ત તે કાર્ય કરે તો સમકિતનો ભંગ થાય નહિ. (૪) સુરાભિઓગેણે કદાચ કોઈ દુષ્ટદેવતા જાનમાલનો નાશ કરવાની ધમકી આપીને સમકિતીથી વિરૂદ્ધાચરણ કરવાનું કહે અને તેના ઉપદ્રવથી ડરીને સમકિતી તે કામ પશ્ચાત્તાપયુક્ત કરે તો સમકિતનો ભંગ થાય નહિ. (૫) ગુરુનિઝારેણે : (૧) કદાચિત કોઈ માતા, પિતા, ભાઈ તથા ઘણાના માનનીય મોટેરા પુરુષ ઘરમાંથી કાઢી મૂકીશ” વગેરે ધમકી આપીને સમકિત વિરૂદ્ધ કામ કરાવે. (૨) સમકિતના દેવ, ગુરુ, ધર્મની પ્રશંસા કોઈ મિથ્યાત્વી કરે અને તેના અનુરાગથી તેના સત્કારાદિ કરે. (૩) સમકિતને અન્ય કોઈ ઉત્કૃષ્ટ ધર્મ લાભને અર્થે અવસરોચિત સમકિતથી વિરૂદ્ધ કાર્ય કરવાનું કહે અને કરવું પડે, એ ત્રણે પ્રકારે કોઈ સમકિત વિરૂદ્ધ કાર્ય કરે તો સમકિતનો ભંગ થાય નહિ. (૬) વિત્તિકતારેણ : રસ્તે ભૂલા પડવાથી કોઈ સમકિતી જીવ મહાઇટવીમાં જઈ ચડ્યો હોય તેને પ્રસંગે પોતાના કુટુંબના રક્ષણાર્થે મયાદ ઉપરાંત વસ્તુને પશ્ચાત્તાપયુક્ત ભોગવે, તેમજ ત્યાં કોઈ માર્ગે ચડાવવાની લાલચ આપી સમક્તિ વિરૂદ્ધ આચરણ કરવાનું કહે ત્યારે સમકિતી પ્રાણ “સ્વજન' ધનાદિની રક્ષા માટે તે કાર્ય કરે તો પણ સમકિતનો ભંગ થતો નથી. આ છ ને કોઈ છ આગાર પણ કહે છે અને કોઈ તેને છીંડી (ગલી) પણ કહે છે. જેમ રસ્તે ચાલતાં કોઈ પ્રકારની નડતર આવે ત્યારે ગલી કૂચીમાં થઈને પાછા મુખ્ય રસ્તા ઉપર આવી જવાય છે. તેવી જ રીતે સમકિતનું પાલન ૩૦૮ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy