SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશથી જે અસર ન થાય તે સંગીતથી - ઉત્તમ કાવ્યથી થાય છે. કવિતા દ્વારા પણ અન્યજનોના ઉપર ધર્મનો સારો પ્રભાવ પાડી શકાય છે. તેથી જે સમકિતીને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કવિત્વ શક્તિ પ્રાપ્ત થઈ ગઈ હોય તેમનું કર્તવ્ય છે કે, તેઓ કામોત્તેજક, વિરોધ વર્ધક, ઇત્યાદિ કુમાર્ગે પોતાની કવિત્વશક્તિનો અપવ્યય ન કરતાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ધર્માત્મા વગેરે ગુણવંતોના ગુણાનુવાદ રૂપ સ્તવન, પદ, સવૈયા, છંદ વગેરે કવિતા બનાવી તથા આધ્યાત્મિક વૈરાગ્ય રસોત્પાદક ગૂઢ ગહનાર્થથી ભરપૂર કવિતાઓ રચી, યથોચિત રાગમાં સંભળાવી લોકોના દિલ પર ધર્મનો પ્રભાવ પાડે, ધર્મના અનુરાગી જે જૈનધર્મના પ્રભાવથી આપણો આત્મા ઉન્નત અને શાશ્વત સુખની સન્મુખ થયો છે તે ધર્મનો પ્રભાવ બીજાને બતાવી તેમને સદ્ધર્મના શ૨ણે લાવી સુખી કરવાની ભાવના સમકિતીઓના હૃદયમાં સદાય જાગૃત રહે છે અને સ્વપરહિત સાધનને તે પોતાનું સાચું કર્તવ્ય સમજે છે. આ કર્તવ્ય પાલન અર્થે ઉપરોક્ત આઠ પ્રભાવનામાંથી જેમની જેટલી શક્તિ હોય તે પ્રમાણે પ્રભાવના કરી ધર્મોન્નતિ અને ધર્મ વૃદ્ધિ કરે. પરંતુ પ્રભાવક થઈને હું પ્રભાવક છું. હું ધર્મદીપક છું કે શાસન દિવાકર છું એવા પ્રકારનું અભિમાન લાવી પ્રાપ્ત થયેલા મહાન ફળને નષ્ટ ન કરવું. આ વાત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. નવમે બોલે જતના ૬ (૧) આલાપ ઃ પ્રયોજન વિના તેમજ પોતાને બોલાવ્યા વિના મિથ્યાત્વીની સાથે બોલે નહિ અને સમકિતી બોલાવે અથવા ન પણ બોલાવે છતાં તેમની યથોચિત વાર્તાલાપ કરે. (૨) સંલાપ : મિથ્યાત્વીના છળ કપટથી ભરેલાં માયાવી .હોય છે, તેઓ સહજમાં સમકિતને બટ્ટો લગાડી દે છે. એટલા માટે તેમની સાથે વિશેષ વાર્તાલાપ કરે નહિ, અને સમકિતની સાથે ધર્મચર્ચાદિ વાર્તાલાપ વારંવાર કરે. (૩) દાન : દુઃખી, દરિદ્રી, અનાથ વગેરે ઉપર દયા લાવી દાન આપવું તે તો સમકિતીનું કર્તવ્ય છે, પરંતુ તેમને દાન આપવાથી મને મોક્ષ મળશે એવી ઇચ્છાથી મિથ્યાત્વીને દાન આપે નહિ અને પોતાની પાસે જે શ્રેષ્ઠ દેવા યોગ્ય વસ્તુ હોય તે ગ્રહણ કરવા સમકિતીને આમંત્રણ કરે, તેમને જે જોઈએ તે આપે, ગરીબ સ્વધર્મીઓને યથાશક્તિ સહાય અવશ્ય કરે. |૩૦૬ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy