SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ કરી મેવા, મીઠાઈ, ફળ, કંદમૂળાદિનું ભક્ષણ કરી તપ માને છે. આવી જ રીતે મુસ્લિમભાઈઓ પણ રાત્રે પેટપૂર્ણ ભોજન કરતા રહી દિવસે ભૂખ્યા તરસ્યા રહેવામાં તપ સમજે છે અને આ પ્રકારના તપ કરનારને માટે પણ લોકો ધન્યવાદ આપે છે. તો પછી નિરાહાર તપથી આશ્ચર્ય પામે એ સ્વાભાવિક જ છે. એટલા માટે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, પક્ષોપવાસ, માસખમણ થાવત્ છમાસી તપ તથા આયુષ્યનો અંત નિકટ આવ્યો જાણી યાવજીવન ચારે આહાર તથા ઉપધિનો ત્યાગ કરી વગેરે તપશ્ચર્યા દ્વારા સમ્યકત્વી ધર્મની પ્રભાવના કરે છે. ધર્મસભામાં દુષ્કર તપ પ્રતિજ્ઞા લેવાથી પ્રભાવના થાય છે. જૈન ધર્મના શીલવ્રત તપાદિને જાહેર કરવાથી પણ પ્રભાવના થાય છે. (૬) સર્વ વિદ્યાધારક પ્રભાવના : જગતના સર્વ પદાર્થોને પ્રકાશમાં લાવનાર એક વિદ્યા જ છે. આથી અનેક વિદ્યાના ધારણહાર પણ ધર્મના પ્રભાવક થઈ શકે. અનેક ભાષા અને અનેક લિપિનો જાણનાર જૈન તત્ત્વોનો વિવિધ ભાષા દ્વારા પ્રચાર કરી શકે છે અને તે તે ભાષાના જાણકારનું ચિત્ત ધર્મ પ્રતિ આકર્ષી શકે છે. તેથી ધર્મનો પ્રભાવ અને ગૌરવ વધે છે. તથા વૈદ્યક વિદ્યા, મંત્ર વિદ્યા, આદિનો જાણકાર સમકિતી અન્ય કોઈના ચમત્કાર જોઈ વ્યામોહ પામતો નથી, તે પોતે ઉદર પોષણાર્થે આવી વિદ્યાઓનો ઉપયોગ કરતો પણ નથી, પરંતુ ધર્મની હાનિના સમયે વિદ્યાઓના પ્રયોગથી ધર્મોન્નતિ કરે છે. (૭) પ્રગટ વતાચરણ પ્રભાવના : દુષ્કર વ્રતાચરણ કરવાથી પણ ધર્મનો સારો પ્રભાવ પડે છે. કારણકે સાંસારિક મોહ મમત્વને છોડવાં, ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખવા એ મહામુશ્કેલ કામ છે. મમતા છોડયા વિના વ્રતોનું સમાચરણ થવું અશક્ય છે. તેથી મમત્વ પરાજવી સમક્તિી ધર્મની પ્રભાવના અર્થે માનકીર્તિની આકાંક્ષા રાખ્યા વિના મહોત્સવપૂર્વક બહુજન સમુદાયમાં, શરીરે સશક્ત છતાં સજોડે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરે, રાત્રિભોજનનો ત્યાગ કરે, જીવનભર લીલોતરીનો ત્યાગ કરે,અને સચેત પાણીનો ત્યાગ સ્વીકારે. આ પ્રમાણે ચારે સ્કંધ અંગીકાર કરે તથા યુવાવસ્થામાં અનેક પ્રત્યાખ્યાન કરી મમત્વી લોકોને ચમત્કાર ઉપજાવી ધર્મનો પ્રભાવ વૃદ્ધિગત કરે છે. અને આ બધુ પોતાના આત્મિક વિકાસની ભાવનાએ જ કરે છે. (૮) કવિત્વ શક્તિ પ્રભાવના : સંગીતમાં પણ ઘણી શક્તિ છે. ઘણીવાર શ્રી જૈન તત્ત્વ સાર ૩૦૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy