SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ એ બૌદ્ધ મતની શાખા નથી એ વાત હવે સિદ્ધ થઈ ચુકી છે. પાશ્ચાત્ય વિદ્વાનોની એ ભ્રમણા હવે દૂર થઈ છે. કારણ કે ખુદ બંદ્ધના ધર્મશાસ્ત્રોમાંથી જ એની પુષ્ટિનાં અનેક પ્રમાણો મળી આવે છે. જેવા કે – (૧) મહાવીર” ના છઠ્ઠા અધ્યયનમાં લખ્યું છે કે મહાવીરના સિહ નામના શ્રાવકે બુદ્ધદેવની મુલાકાત લીધી હતી. (૨) “મઝિમનિકાય' માં લખ્યું છે કે, મહાવીરના ઉપાલી નામના શ્રાવકે બુદ્ધદેવની સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો. આવાં ઘણાં પ્રમાણથી સાબિત થાય છે કે બૌદ્ધ ધર્મથી જૈન ધર્મ પ્રાચીન અને સ્વતંત્ર છે. વેદમાં પણ તીર્થકરોની સ્તુતિ હોવાથી જૈનધર્મ વેદોથી પણ પ્રાચીન છે. પહેલાં તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન થઈ ગયાને અસંખ્ય વર્ષો વીત્યાં છે અને ઋષભદેવની પહેલાં પણ જૈનધર્મ નહોતો એમ નથી. ભૂતકાળમાં અનંત ચોવીસીઓ થઈ ગઈ છે. વળી, મહાવિદેહમાં સદાકાળ જૈનધર્મ પ્રવર્તમાન હોય છે. એટલા માટે જૈનધર્મ સનાતન અને સત્ય છે એવી દઢ આસ્થા રાખી કોઈના ચળાવ્યા કદી પણ ચલાયમાન થવું નહિ. સમકિતમાં દૃઢ રહેશે તે જ આત્માનું પરમ કલ્યાણ કરી પરમાનંદ પ્રાપ્ત કરી શકશે. હાલમાં જૈન અને વિશેષતઃ સામાર્ગી જૈનોમાં ઘણે અંશે શ્રદ્ધાની ન્યૂનતા નજર આવી રહી છે. છાણમાં ખોડેલો ખીલો જેમ નમાવે તેમ નમી જાય અને નર્મદા નદીનો ગોલક પાષાણ જેમ દોડાવે તેમ દડી જાય, એવી સ્થિતિ કેટલાક ભાઈઓની ઘર્મશ્રદ્ધા વિષયે થઈ ગઈ છે. અને તેથી જ આ મહાન પ્રભાવક પરમ કલ્યાણકારી જૈનધર્મના પાલક અને ઇચ્છિત ફલદાતા નવકારમંત્રનું સ્મરણ કરનારા હોવા છતાં પણ દિન પ્રતિદિન ધનમાં, જનસંખ્યામાં, સુખમાં અને ધર્મમાં અવનતિને પ્રાપ્ત થતા રહે છે અને ઘણો ભાગ દુઃખી દેખાય છે એ જોઈ સખેદાશ્ચર્ય થાય છે. તેમાંના કેટલાંક શ્રીમંતો થોડા કે ઘણાં કાળને માટે સુખ સામગ્રીનો પરિત્યાગ કરે છે અને વ્યાવહારિક કરણી જેવી કે, ચારે સ્કંધ ધારણ કરી લેવા, દુષ્કર વ્રતાચરણ, દુષ્કર તપશ્ચર્યા, સામાયિક , પૌષધવ્રત આદિ કરે છે. પરંતુ દૃઢ શ્રદ્ધાની અનુપસ્થિતિમાં તેઓ કરેલી કરણીનું યથાતથ્ય ફળ પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે તેઓમાંના ઘણાં તે સજ્ઞાનના અભાવથી યશ અને માનપૂજાના ભૂખ્યા બની કરણી કરે છે. તેઓ કરોડોનો માલ કોડી બદલે ખોઈ | ૨૯૪ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy