SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ गौतमपि तदा तत्र धारितुं जैनधर्मकम् । श्रीयावाक्येन संतुष्ठो, जगाम श्रीनिकेतनाम् ॥४॥ (શ્રી માલ પુરાણ અધ્યાય-૭૪) અર્થ : હે રાજન્! જ્યારે કળિયુગના બે હજાર વર્ષ ગયાં ત્યારે કાશ્મીર દેશે મહાવીર ઉત્પન્ન થયા. તે વખતે લક્ષ્મીના કહેવાથી તેમની પાસે ગૌતમ દીક્ષા લેવા ગયા. (૨૬) મો મો સ્વામિમમહાવીર, ઢીક્ષાં વેન્નિ મન પ્રમો । जैनधर्म संगृहीतु मागत स्वत सन्निधौ ||६ ॥ અર્થ : ગૌતમ બોલ્યાકે, હે મહાવીર પ્રભો! મને દીક્ષા આપો. હું આપની પાસે જૈનધર્મ ધારણ કરવા આવ્યો છું. આ બધા પ્રમાણોથી સાબિત થાય છે કે, જૈનધર્મ ગૌતમ ઋષિથી પહેલાંનો છે. હવે કેટલાક કહે છે કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મમાંથી નીકળ્યો છે. પરંતુ આ કથન પણ સત્ય નથી. કેમકે (૧) શ્રી મહાવીર સ્વામીનો જન્મ ‘ક્ષત્રિયકુંડ’ નગરમાં થયો છે. અને બુદ્ધ (શાકયસિંહ) નો જન્મ ‘કપિલવસ્તુ’ નગરમાં થયો છે. (૨) મહાવીર સ્વામીના માતાપિતા મહાવીર સ્વામી ૨૮ વર્ષના થયા ત્યારે મૃત્યુ પામ્યાં અને બુદ્ધનાં માતા બુદ્ધનો જન્મ થતાં જ મૃત્યુ પામ્યાં છે. (૩) શ્રી મહાવીર સ્વામીએ પોતાના મોટા ભાઈની આજ્ઞાથી દીક્ષા લીધી છે. (૪) મહાવીર સ્વામીએ ૧૨ || વર્ષ અને ૧૫ દિવસ તપશ્ચર્યા કરી છે. (૫) મહાવીરે તપશ્ચર્યાને ધર્મનું મુખ્ય અંગ મુક્તિનું કારણ બતાવેલ છે. અને બુદ્ધે તપશ્ચર્યાના સમયને ફોકટ કહ્યા છે. (૬) મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યા અને બુદ્ધનો દેહોત્સર્ગ કુંડિકુંડમાં થયો. આથી એ સિદ્ધ થાય છે કે, મહાવીર અને બુદ્ધ એ બંન્ને ભિન્ન વ્યક્તિઓ હતા. તેમજ મહાવીરે પ્રવર્તાવેલ જૈનધર્મ અને બુદ્ધે પ્રવર્તાવેલ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં પણ તફાવત છે. જૈન ધર્મે હિંસાના કારણભૂત માંસભક્ષણની સાફ મના કરી છે અને બુદ્ધે ગૃહસ્થોએ તૈયાર કરેલું માંસ પોતાના સાધુ ગ્રહણ કરે તે પ્રવૃત્તિને નિર્દોષ બતાવી છે. જૈન મત સ્યાદ્વાદ છે. બૌદ્ધમત ક્ષણિકવાદ છે. Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only |૨૯૩ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy