SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી બુદ્ધિ અતિ અલ્પ છે. તે અનંત જ્ઞાનીનાં કહેતાં તત્ત્વોને સમજી ન શકે, તેવે પ્રસંગે શ્રદ્ધા રાખવી, પણ સંશય ન વેદવો. ‘સંજાણુ સમ્મત્ત નામŞ ।' એ આચારાંગ સૂત્રના કથનાનુસાર શંકાથી સમકિતનો નાશ થાય છે. આવું જાણી સમકિતી જીવ હોય તે મિથ્યાત્વીઓના કુતર્કો, કુહેતુઓથી ભ્રમમાં પડી જિનવચન પર કદી પણ શંકા રાખતો નથી અને જો કોઈ વાત ન સમજાય તો પોતાની અલ્પજ્ઞતાનો જ દોષ જુએ છે, અને નિર્ગંથ પ્રવચનને પરમ સત્ય અને પરમ હિતકર સમજી તેના પર પૂર્ણ પ્રતીતિ આણે છે. અરિહંત દેવ સર્વજ્ઞ તેમજ વીતરાગ હોવાથી ભૂલ કરે જ નહિ તેમજ અસત્ય બોલે નહીં એમ જાણી સમકિતી એ જિન વચન પર શંકા કરવી નહિ. (૨) કંખા (કાંક્ષા) : મિથ્યાત્વ દર્શનની ચાહના - અહિતકર મતનો અભિલાષી શ્રી જિનેશ્વર પ્રણિત વિનયમૂળ, દયામય, સત્યમય ધર્મ કે જો ઢોંગ ધતૂરા વિનાનો સત્યધર્મ છે, આ ધર્મ પાળનાર પૈકી કોઈ અન્ય મતાવલંબીઓમાં થતાં મિથ્યા આડંબરો, જૂઠા ચમત્કાર આદિથી વ્યામોહ પામી તે મત અંગીકાર કરવાની અભિલાષા કરે તે કાંક્ષા દૂષણ. આ દુષણનો પરિત્યાગ કરવો. ઢોંગ, ધતૂરા બાહ્યાડંબર કદી પણ આત્મકલ્યાણ સાધી શકતા નથી. વમેલા કે કોઈ મિથ્યાત્વીનું એક પણ વચન ગ્રહણ કરવું નહિ તેમજ જૈન પુસ્તકોમાં સામેલ કરવું નહિ. સમકિતી તો જાણે છે કે મોક્ષના માર્ગ બે નથી. સાચો મોક્ષમાર્ગ તો વીતરાગપ્રણિત દયામૂળ ધર્મ જ છે. તે ગાન, તાન, નૃત્ય, તમાશા, સ્નાન, શૃંગાર તથા હિંસક ક્રિયાથી થતી અન્ય દર્શનીઓની ધમાલને સંસાર વર્ધક જાણી તેમાં કદી પણ વ્યામોહ પામતો નથી. શ્રી વીતરાગપ્રણિત જૈનધર્મ સિવાય તે બીજા કોઈ પણ મતની કાંક્ષા વાંછા સ્વપ્નમાં પણ કરતો જ નથી. (૩) વિતિગિચ્છા (વિચિકિત્સા) : ધર્મ કરણીના ફળ માટે સંદેહ આણવો તે કેટલાક જૈનધર્માવલંબીઓ ઉપવાસાદિ તપ, સામાયિકાદિ ધર્મકરણી, દાનાદિ ધર્મ વગેરેનું પોતે પાલન કરે છે, અને અન્યને પાલન કરતાં જુએ છે પરંતુ આ લોકમાં તેનાં પ્રત્યક્ષ ફલ નજરે નહિ આવવાથી તથા ધર્માત્માઓને દુઃખી દેખીને મનમાં સંદેહ આણે છે કે, આ આટલી બધી ધર્મકરણી કરે છે છતાં તેના ફળ કેમ કંઈ દેખાતા નથી? તો શું ધર્માર્થે આટલું કષ્ટ ઉઠાવીએ છીએ તે બધુ નિરર્થક કાયા કલેશરૂપ તો નહિ હોય? ફલાણો શ્રાવક આટલાં વર્ષથી ધર્મ કરે |૨૦૪ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy