SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) જિનવાણી શ્રવણ કરવાના પ્યાસી સમકિતી જીવને શાસ્ત્ર શ્રવણ કરવાના અવસરે પુષ્કળ આદર હોય છે. ધર્મોપદેશકોના વચનોને તે પ્રેમપૂર્વક ‘તહત્તિ' વચનોથી વધાવતો થકો આદર પૂર્વક ગ્રહણ કરે છે, આનંદનો અનુભવ કરે છે. (૩) સમકિતી જીવ જિનવાણીને હર્ષ ઉલ્લાસ પૂર્વક ગ્રહણ કરે છે. તેને જરા પણ કંટાળો આવતો નથી. તેનું વારંવાર સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરીને તેને આત્મામાં ચિરસ્થાયી બનાવે છે. ત્રીજે બોલે - ૧૦ પ્રકારનો વિનય ધર્મનું મૂળ વિનય છે એક વિનય ગુણનું જ્યાં અસ્તિત્વ હોય ત્યાં અન્ય અનેક સદ્ગણો ક્રમશઃ આકર્ષાઈને આવે છે. સમકિત હોય ત્યાં વિનય નમ્રતાનો ગુણ સ્વાભાવિક રીતે જ હોય છે. પરમાર્થિક બુદ્ધિથી ગુણવૃદ્ધ વ્યક્તિઓનો વિનય કરવામાં આવે તે જ સાચો વિનય છે. અને તેવા વિનય વડે જ આધ્યાત્મિક વિકાસ થઈ શકે છે. આવા વિનય ૧૦ પ્રકારના કહ્યા છે. (૧) અરિહંતનો, (૨) સિદ્ધનો, (૩) આચાર્યનો, (૪) ઉપાધ્યાયનો, (૫) સ્થવિરનો (જ્ઞાનવૃદ્ધ, ગુણવૃદ્ધ, વયોવૃદ્ધ), (૬) તપસ્વીનો, (૭) સમાન સાધુનો, (૮) ગણ સંપ્રદાયનો, (૯) ચતુર્વિધ સંઘનો, (૧૦) શુદ્ધ ક્રિયાવંતનો વિનય. - ચોથે બોલે - શુદ્ધતા ૩ જેમ કાદવમાં ખરડાયેલું વસ્ત્ર, કાદવ વડે ધોવાથી શુદ્ધ થતુ નથી પરંતુ વધુ બગડે છે. તેવી રીતે આરંભ સમારંભના કૃત્યો કરી જેઓ આત્માને વિશુદ્ધ કરવા ઇચ્છે છે પણ તે આત્મા વધુ મલીન બને છે. જો નિરવદ્ય નિરારંભી ક્રિયા કરે તો જ પવિત્ર બની શકે છે. આરંભના કાર્યમાં રક્ત દેવ, ગુરુ ધર્મનો ત્યાગ કરે છે. કારણકે જેની સાથે રહીએ તેના જેવા થઈએ. સમકિતી જીવ નિરારંભી દેવ, ગુરુ, ધર્મને મનથી ભલા જાણે, વચનથી તેમના ગુણગાન કરે છે અને કાયાથી તેમને જ નમસ્કાર કરે છે. આથી તેમના આચાર, ઉચ્ચાર અને વિચાર એ ત્રણે યોગના વ્યાપારો વિશુદ્ધ રહે છે. ૨૮૨ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy