SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સુદિઢ પરમત્ય સેવણા : જેમણે સુદૃષ્ટિએ સમ્યક્ દૃષ્ટિએ પરમાર્થને જાણ્યા છે એવા રત્નત્રયીના આરાધકની સેવા ભક્તિ કરવી, સંગ કરવો. જેમ રાજાની સેવા કરનાર રારિદ્ધિનાં ભોક્તા બને છે. તેમ તત્ત્વજ્ઞ પરમાર્થજ્ઞ અને સુદૃષ્ટિવંતના ઉપાસક હોય તે પણ પરમાર્થજ્ઞ અને સુદૃષ્ટિવંત અર્થાત્ સમિકતી બને. ચંદનની આસપાસ બાવળના ઝાડ પણ સુગંધિત બની જાય છે. તેવી રીતે હંમેશા સત્નો સંગ કરવો. (૩) વાવસ વજ્જણા : વ્યાપન્ન એટલે જેણે સમકિત વમી નાખ્યું છે. એવો ભ્રષ્ટોનો સંગ વર્ઝવો. કોઈ દોષિત પોતાના દોષ છુપાવવા માટે બીજા પર દોષનો કળશ ઢોળે છે ભોળા જીવોને ભ્રમમાં નાખી દુર્ગુણોમાં પણ સદ્ગુણોની ભ્રાન્તિ કરાવે છે. માટે જે ભ્રષ્ટ હોય, દુર્ગુણી હોય એનો ક્યારે પણ સંગ ન કરવો. (૪) કુદંસણ વજ્જણા ઃ કુદેવ, કુગુરુ, કુધર્મ અને દુઃશાસન માનવાવાળા જિનપ્રણિત કથનથી વિપરીત ક્રિયા કરવાવાળા એવા કદાગ્રહી મિથ્યાત્વીની સંગતિ ન કરવી. અનંતકાળ મિથ્યાત્વમાં રહ્યા છે. ગાઢ સંસ્કાર હોવાથી મિથ્યાત્વની વાતોની શીઘ્ર અસર થાય છે. છ એ કાયના જીવોની હિંસા કરે. છતાં અહિંસાના નામે ધર્મ મનાવે. મિથ્યા આડંબર હોય, હિંસા કરી આનંદ મનાવે અને ચીકણાકર્મ બાંધે છે. अन्य स्थाने कृतं पापं, धर्मस्थाने विमुच्यते । धर्म स्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥ અર્થ : બીજા સ્થાનમાં કરેલા પાપોની નિવૃત્તિ માટે ધર્મસ્થાનમાં જઈ ધર્મ ક્રિયા દ્વારા દૂર કરી શકાય છે, પરંતુ ધર્મસ્થાનમાં જે પાપો થાય છે તે તો વજ્રલેપ જેવા થઈ જાય છે. આવા મનુષ્યોનો હંમેશા ત્યાગ કરવો. બીજે બોલે - લિંગ ૩ લિંગ એટલે ચિહ્ન. જેમ ધૂમ્રના ચિહ્નથી અગ્નિનું અનુમાન થાય છે તેમ નિમ્નોક્ત ત્રણ ચિહ્નથી સમકિતની પિછાણ થાય છે. (૧) સમકિતી જીવ જિનવાણીનું શ્રવણ કરતાં તન્મય બની જાય છે. એ રસ મીઠો લાગે છે. સંસારના બધા જ રસ ફિક્કા અને કડવા લાગે છે. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૨૦૧ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy