SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર સમકિતનાં લક્ષણ (છપ્પય છંદ) છહોં દોષ દ્રવ્ય નવ તત્ત્વ, ભેદ જાકો સબ જાને; અઠારા રહિત, દેવા તાકો પ્રમાણે; સંયમ સહિત સુસાધુ, હોય નિગ્રંથનિરાગી; મત અવિરોધ ગ્રંથ, સાહિ માને પર ત્યાગી; કેવલ ભાષિત ધર્મધર, ગુણસ્થાન બુઝે પરમ ભઈયા નિહાર વિવહાર યહ, સમ્યક્ લક્ષણ જિન ધરમ અર્થ : જેમને ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય અને જીવાદિ નવ તત્ત્વનું જ્ઞાન, દ્રવ્ય, ગુણ, પર્યાયના ભાવ સહિત યથાર્થ હોય, જે અઢાર દોષરહિત અરિહંતને દેવ કરી માને, શુદ્ધ સંયમધારી નિગ્રંથ સાધુને ગુરુ કરી માને, જિનેશ્વરભાષિત ધર્મથી જે અવિરોધી હોય તેને ધર્મશાસ્ત્ર કરી માને, કેવળજ્ઞાનીનો ફરમાવેલો (દયામય) ધર્મ તેને ધર્મ કરી માને, અને જે ૧૪ ગુણસ્થાનકના મર્મનો રૂડે પ્રકારે જાણકાર હોય તેને વ્યવહાર સમકિતી જાણવો. વ્યવહાર સમકિતના ૬૭ બોલ ૪ શ્રદ્ધાન, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધતા, ૫ લક્ષણ, ૫ દૂષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના, ૬ યતના, ૬ આગાર, સ્થાનક અને ૬ ભાવના. એ સર્વ મળી ૬૭ બોલ થયા. તેનું વર્ણન : ગાથા: પહેલે બોલે परमत्थ संथवो वा, सुठ्ठि परमत्थ सेवणा वावि । वावन्न कुदंसण वज्जणा, सम्मत्तस्स सद्दहणा ।। ૨૮૦ - જ (૧) પરમત્ય સંથવો : આત્માનો પરમ ઉત્કૃષ્ટ અર્થ જે મોક્ષ પ્રાપ્તિ અને તે સાધવાના જે જ્ઞાનાદિ રત્નત્રયીરૂપ ઉપાય તે જ પરમાર્થ કહેવાય છે. મોક્ષ પ્રાપ્તિના ઉપાયરૂપ નિજ જ્ઞાન, દર્શન ચારિત્રથી પોતાના આત્માનો અનુભવ કરવો. તે પરમ અર્થનો પરિચય છે. તે નવ તત્ત્વ અને છ દ્રવ્યનું જ્ઞાન થયા પછી આવે. Jain Education International ૪ શ્રદ્ધા સમકિત અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy