SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ | નિશ્ચય સમકિતનાં લક્ષણ (છપ્પય છંદ) રાગ દ્વેષ અરુ મોહ, નહીં નિજમાંહી નિરખત; દર્શન, જ્ઞાન, ચારિત્ર, શુદ્ધ આત્મરસ ચખત; પરદ્રવ્યાસેતી ભિન્ન, ચિહ્ન ચૈતન્ય પદ મંડિત; વેદત સિદ્ધ સમાન, શુદ્ધ નિજ રૂપ અખંડિત; સુખ અનંત જિસ પદ વસત, સો નિશ્ચય સમ્યક્ મહત; ભએ વિચક્ષણ ભાવિકજન, શ્રી નિણંદ ઇસ વિધિ કહત. અર્થ : જે જીવને નિશ્ચય સમકિતની પ્રાપ્તિ થાય છે તે જીવ પોતાના આત્મામાં રાગ, દ્વેષ અને મોહને દેખતો જ નથી. એ ત્રણે દોષો તેના મંદ પડી જાય છે. એટલે તે દોષોને ઉત્પન્ન થવા દેતો નથી. પરંતુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ આત્મગુણોનો જે પરમ રસ છે તેનું આસ્વાદન કરે છે. જડ ચેતનનો ભેદ સમજીને પરભાવ રૂપ પુદ્ગલ પરિણતિથી આત્માને અળગો કરી આત્મભાવમાં રમણતા કરે છે. શુદ્ધ અને અખંડ આત્મજ્યોતિને પ્રગટ કરી દેહમાં રહેલો છતાં દેહાતીત – સિદ્ધ સમાન સુખનો અનુભવ કરે છે. આ પ્રમાણે આ નિશ્ચય સમ્યકત્વ અનંત સુખનું સ્થાન એવી જે સિધ્ધગતિ છે તેને પ્રાપ્ત કરાવનાર છે. એવું શ્રી જિનેન્દ્ર ભગવાનનું ફરમાન છે. જ્યારે આત્મા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રના અનુભવમાં લીન હોય, જ્ઞાનથી પોતાના જ આત્માને જુએ અને ચારિત્રથી પોતાના જ આત્માને અનુભવે, તેમાં લીન થાય અને આત્મિક સુખ, સમતા રસનો અનુભવ કરે ત્યારે તે નિશ્ચય સમકિતમાં હોય. (૫) વ્યવહાર સમકિત : અનંત ચતુષ્ટય, અષ્ટ પ્રાતિહાર્ય આદિ ગુણ સહિત એવા અરિહંત પ્રભુને દેવ કરી માને, છત્રીસ તથા ૨૭ ગુણયુક્ત નિર્મથને ગુરુ કરી માને અને કેવળીના પ્રરૂપેલા ધર્મને ધર્મ કરી માને છે. શ્રી જૈન તત્ત્વ સાર ૨૭૯. | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy