SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ અંબડ સંન્યાસી તથા મરિચિની જેમ વેષ પરિવર્તન કર્યું ન હોય છતાં ભાવથી તો તે સમકિત છે. પરંતુ વ્યવહારમાં મિથ્યાત્વી વેષે હોવાથી તેને કેટલાક મિથ્યાત્વ સમકિત કહે છે. પણ ખરીરીતે ભાવ સમકિત હોવાથી તેઓ સમકિતી જ છે. (૩) અભવ્ય જીવ સત્સંગના પ્રસંગથી, પૌદ્ગલિક સુખ તથા માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની અભિલાષાએ શ્રાવક તથા સાધુના વ્રત આચરે, વેષ પણ ધારણ કરે અને વિશુધ્ધ પ્રકારે પાલન કરે. નવ પૂર્વ સુધીનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લે છે. પરંતુ અભવ્યપણાના સ્વભાવને લીધે દર્શન મોહનીયની પ્રકૃતિનાં ક્ષયોપશમાદિ થતાં નથી. તેથી તેઓ વ્યવહારમાં સમકિતી નજરે આવવા છતાં નિશ્ચયમાં મિથ્યાત્વી હોય છે. તેને પણ કેટલાક મિથ્યાત્વ સમકિત કહે છે, પણ આ દીપક સમકિત કહેવાય છે. તેઓ ભાવથી મિથ્યાત્વી હોવાથી મિથ્યાત્વી જ છે. (૪) મિથ્યાત્વ ગુણસ્થાનક (મિથ્યાત્વને પણ ગુણનું સ્થાનક) ગણેલું છે. સંસારસ્થિત અનંત જીવો મિથ્યાત્વ સ્થાનમાં જ રહેલા છે. તેઓ ત્યાં રહ્યા થકા પણ અકામ નિર્જરા દ્વા૨ા કર્માંશ ક્ષય કરે છે, ત્યારે જ ઉપર ચડે છે. જૈન ધર્મની દ્રવ્ય કરણી કરી ૬૯ ક્રોડાક્રોડ સાગર જેટલી કર્મ સ્થિતિ મિથ્યાત્વમાં જ ખપાવવી પડે છે. આત્માને સમકિત અભિમુખ કરવાનો ગુણ આ સ્થાનમાં જ ઉત્પન્ન થતો હોવાથી મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. કેમકે નૈગમનયવાળા એક અંશને પણ પૂર્ણ વસ્તુ માને છે. અને વ્યવહારનયવાળા વ્યવહારને તથા રૂપને માને છે. આ અપેક્ષાએ આ ગુણસ્થાનક કહેવાય છે. (૫) મિશ્રગુણસ્થાન : મિથ્યાત્વ મોહનીયના દળિયાં ભોગવતાં ભોગવતાં થોડાં અવશેષ રહ્યાં તે વખતે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધધર્મ એ ત્રણ તત્ત્વ પ્રતિ દ્વેષભાવ પણ નહિ તેમ તેની આસ્થા પણ નહિ. તેવી જ રીતે શુદ્ધદેવ, શુદ્ધગુરુ, શુદ્ધધર્મ પ્રતિ અંતરંગમાં અનુરાગ પણ નહિ અને તેને બૂરાં (અહિતકર) પણ જાણે નહિ. કારણ તેને એ બન્નેની સમજણ કે પરીક્ષા કરવાની વિવેક બુદ્ધિ પ્રગટી નથી. તેને મિશ્ર મોહનીય ગુણસ્થાન કહેવું દા. ત. શ્રીખંડમાં મીઠાશ અને ખટાશ બન્નેનું મિશ્રણ હોય છે. ડામાડોળ ચિત્તયુક્ત અંતર્મુહુર્ત પર્યંત રહે છે. દૃષ્ટાંત : જેમ પ્રાતઃકાળે રાત્રિ દિવસની મિશ્રતા (સંધ્યા) પ્રકાશને વધારતી ૨૦૬ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy