SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ હવે મોહનીય કર્મના બે પ્રકાર છે - (૧) દર્શન મોહનીય (૨) ચારિત્ર મોહનીય યથાર્થ શ્રદ્ધાને દર્શન કહે છે. તે દર્શનને જે મોહિત કરે (વિકૃત કરે) તે દર્શન મોહનીય અને ચારિત્ર પ્રાપ્ત કરવામાં કે પાળવામાં જીવને મુગ્ધ બનાવે તે ચારિત્ર મોહનીય. કર્મનાં ફળ સઘન હોવાથી જીવ મિથ્યાષ્ટિ થાય છે. આ વખતે તે મિથ્યાત્વની વર્ગણા કંઈક સત્તામાં રહે અને કંઈક ઉદયમાં આવે તે શુદ્ધ દેવ, ગુરુ, અને ધર્મની પીછાણ થવા દે નહિ. તેથી જીવ તેનાથી વિમુખ રહે તે મિથ્યાત્વ મોહનીય. - મિશ્ર મોહનીયનું સ્વરૂપ મિશ્ર સમતિનાં જેવું જાણવું અને સમકિત મોહનીય તે ક્ષાયિક સમકિતનું ઢાંકણ છે. તેનાથી સમકિત ગુણની પૂર્ણ ઘાત તો ન થાય પણ તેમાં ચલ, મલ અને અગાઢ દોષ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વી જીવોને આ મોહનીય હોતું નથી, પરંતુ ક્ષયોપશમ સમકિતને હોય છે. તેની ઉપસ્થિતિમાં સમતિ મલિન રહે છે. કેમકે શંકાદિ દોષયુક્ત હોય છે. જેમ કોઈ વૃધ્ધ પુરુષના હાથમાં લાકડી હોય તે મજબૂત પકડી પણ ન શકે તેમ છોડી પણ શકે નહિ, તેવી જ રીતે તેને પણ ભગવતીસૂત્રમાં કહ્યા પ્રમાણે ચલ, મલ, અગાઢ દોષ ઉત્પન્ન થાય છે. તેથી પરિણામોમાં વિચલિતતા રહે છે. કેટલાક ભોળા જીવો દેવ, ગુરુ, ધર્મ પર અનુરાગ કરવો તેને સમકિત મોહનીય કહે છે. પણ આ કથન બરાબર નથી. કારણ કે દેવ, ગુરુ, ધર્મ ઉપર અનુરાગ તો આઠમા ગુણસ્થાન સુધી હોય એમ કેટલાકનું માનવું છે પણ આ કથન અપેક્ષાવાળું સમજવું. શ્રી મહાવીર પ્રભુ ઉપર ગૌતમ સ્વામીનો અનુરાગ હતો. તેમ, શ્રાવકોના ગુણમાં પણ કહ્યું છે કે “પમાણુરાગરત્તા માટે આવા પ્રશસ્ત રાગને સમકિત મોહનીય ન કહેવાય. સમકિતી જીવ લૌકિક દેવગુરુને ધર્મબુધ્ધિએ કે સ્વાર્થ સાધન માટે કદાપિ માનતા નથી. પરંતુ લોકોત્તર દેવ, ગુરુ, ધર્મની ઉપાસના સ્વાર્થ સાધવાની બુધ્ધિએ કરે તો સમકિત મોહનીયરૂપી મળ વધે. આવી ભ્રમણા ક્ષાયિક સમકિતીને કદી હોતી નથી. તે તો સ્વકતકર્મનો જ બધો દોષ અથવા ગુણ માને છે. (૨) ૭ પ્રકૃતિના ક્ષયોપશમાદિ વડે સમ્યકત્વ પ્રાપ્તિ તો થઈ ગઈ હોય. પરંતુ શ્રી જૈન તત્ત્વ સાર ૨૭૫ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy