SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ધર્મ શ્રી ઠાણાંગ સૂત્રના બીજા ઠાણામાં કહ્યું છે કે, ‘‘ધર્મો તુવિષે પત્તે - તું નન્ના મુખ્ય ધર્મો ચેવ વૃત્તિ ધમ્મ દેવ ।'' અર્થાત્ શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામીએ ધર્મ બે પ્રકારના કહ્યા છે. (૧) સૂત્રધર્મ અને (૨) ચારિત્રધર્મ. આ બે પ્રકારના ધર્મમાંથી શ્રુતધર્મ અથવા સૂત્રધર્મનું સવિસ્તાર વર્ણન તો આ બીજા ખંડના બીજા પ્રકરણમાં થઈ ગયું છે. હવે ચારિત્રધર્મનું વર્ણન આગળનાં પ્રકરણોમાં કરવામાં આવશે. સમ્યજ્ઞાનપૂર્વક યોગ અને કષાયોની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપ રમણતા થાય તે સમ્યક્ચારિત્ર કહેવાય છે. હિંસાદિ દોષોનો પરિહાર અને પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતનું પાલન તે પણ સમ્યક્ચારિત્ર કહેવાય. ‘જ્ઞાનસ્ય નં વિરતિ।' જ્ઞાનનું ફળ વિરતિ છે. ચારિત્ર છે. ચારિત્ર નરકાદિ ચાર ગતિમાંથી આત્માને તારીને પંચમતિ મોક્ષમાં પહોંચાડે છે. ચારિત્રધર્મના ભગવાને બે પ્રકાર કહ્યા છે. (૧) દેશથી ચારિત્ર અને (૨) સર્વથી ચારિત્ર. તેમાં સર્વથી ચારિત્ર ધારણ કરવાવાળા તો સાધુ મુનિરાજ હોય છે. તેમના આચારનું વર્ણન પ્રથમ ખંડના ત્રીજા, ચોથા, પાંચમા પ્રકરણમાં અગાઉ થઈ ગયું છે. અને દેશથી ચારિત્ર તેના પણ બે પ્રકાર છે. (૧) સમ્યક્ત્વ અને (૨) દેશવિરતિ એ બન્નેનું કથન આ બીજા ખંડના ચોથા પાંચમા પ્રકરણમાં કરી, તત્પશ્ચાત્ છઠ્ઠા અંતિમશુધ્ધિ પ્રકરણમાં મનુષ્ય જન્મની તથા સમકિતી, દેશવિરતિ, અને સર્વવિરતિએ આયુષ્યને અંતે કેવી રીતે શુધ્ધિ કરવી તેનું વર્ણન કરી આ ગ્રંથ સમાપ્ત કરીશું. મિથ્યાત્વનો સમૂળગો નાશ થવાથી જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલા માટે ૨૫ પ્રકારનાં મિથ્યાત્વનું વિસ્તૃત વર્ણન ત્રીજા પ્રકરણમાં અપાઈ ગયું છે. હવે આ ચોથા પ્રકરણમાં સમ્યક્ત્વ અથવા સમકિતનું કથન કરીએ છીએ. 事事事 Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only |૨૬૭ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy