SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) શ્રી ઋષભદેવજીએ કલ્પવૃક્ષ નષ્ટ થવાથી જીવોને દુ:ખી દેખી ત્રણ પ્રકારનાં કર્મોનો પ્રચાર કર્યો. (૨) શ્રી શાંતિનાથ ભગવાન ગર્ભાશયમાં હતા તેમના પુણ્યપ્રતાપે દેશમાં ફેલાયેલો મહામારીનો ઉપદ્રવ નાશ પામ્યો. અને શાંતિનો પ્રચાર થયો જેથી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮માં અધ્યયનમાં ‘સંતિ સંતિત્ત્વે લોક્ ।' અર્થાત્ લોકમાં શાંતિના કરવાવાળા શાંતિનાથ ભગવાન એ પ્રમાણે પ્રશંસા છે. (૩) શ્રી અરિષ્ટનેમિ ભગવાને પાંજરામાં પુરાયેલા જીવોને છોડાવી સારથીને ઇનામ આપ્યું તેની પ્રશંસા ઉત્તરાધ્યયનના ૨૨માં અધ્યયનમાં છે. ‘સાળુળોને નિશ્ હિલ ।' અર્થાત્ અનુકંપા લાવી જીવોનું હિત કર્યું. જીવોને બંધન મુક્ત કર્યા. (૪) પાર્શ્વનાથ ભગવાને લાકડામાં બળતાં નાગનાગણીને બચાવ્યાં તેની પ્રસંશા કલ્પસૂત્રમાં છે. (૫) શ્રી મહાવીર સ્વામીએ સાધુ અવસ્થામાં ગોશાલકને તેજોલેશ્યાથી બળતો બચાવ્યો. તીર્થંકર ભગવાન વિચરે છે તેમની ચારે તરફ રોગ, દુષ્કાળ, મનુષ્ય, પશુનો ઉપદ્રવ થતો નથી અને પ્રથમ થયેલ હોય તો દૂર થઈ જાય છે, એને શ્રી સમવાયાંગ સૂત્રમાં તીર્થંકરના અતિશય કહ્યા છે. આવી રીતે ખુદ તીર્થંકરોએ પણ જીવોની રક્ષા કરી છે. તો શું તેઓને પણ અઢાર પાપ લાગી ગયા? પરંતુ જે પ્રમાણે આ લોકો ખુદ ભગવાન મહાવીરના અનુયાયી હોવા છતાં કહે છે કે ‘‘ગોશાલકને બચાવ્યો તે ભગવાનની ભૂલ થઈ” આવી રીતે તીર્થંકરો ઉપર પણ દોષારોપણ કરતાં અચકાતા નથી. આવી રીતે જૈન ધર્મની શાખા પ્રશાખાઓમાં જેઓ શુધ્ધ ધર્મની શ્રધ્ધાવાળા છે તેને ઉન્માર્ગમાં છે તેમ સમજનાર અને તેની નિંદા કરનાર ચીકણા મિથ્યાત્વનાં દલિકો એકઠાં કરે છે અને દુર્લભબોધિ થાય છે. (૧૯) ઉન્માર્ગને સન્માર્ગ શ્રદ્ધે તો મિથ્યાત્વ : પૃથ્વીકાય આદિ છકાય જીવોની હિંસા, પુષ્પ, ફળ, ધૂપાદિ દેવોને ધરવાં, યજ્ઞ હવનાદિ કરવાં, દુર્વ્યસનો સેવવાં તેમજ સ્ત્રી આદિના ભોગ, નૃત્ય નરકાદિ જે સંસાર પરિભ્રમણના હેતુભૂત છે તેને તથા ઉપર જે પંથ ઉન્માર્ગ રૂપ બતાવ્યો છે, તેને કર્મ ક્ષય કરવાનો મુક્તિનો માર્ગ શ્રદ્ધે તો મિથ્યાત્વ. આશ્રવના હેતુને સંવરનો હેતુ માને મિથ્યાત્વ અધિકાર |૨૬૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy