SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) અજીવને જીવ શ્રદ્ધ તો મિથ્યાત્વ : સૂકા કાષ્ટની, નિર્જીવ પાષાણની પિત્તળ આદિ ધાતુની કે વસ્ત્રાદિની જીવના જેવી આકૃતિ બનાવે તેને સાક્ષાત્ તરૂપ માને તે પણ મિથ્યાત્વ છે. કારણ તે તો નિર્જીવ મૂર્તિ છે. વળી, જેમની મૂર્તિ બનાવી છે, તેમને નજરે પણ જોયા નથી તો યથાર્થ આકૃતિ કેમ બની? કોઈ કહેશે શાસ્ત્રકથિત આકૃતિ બનાવી છે. તો તે પણ શી રીતે બની શકે? તીર્થકરો ૧૦૦૮ ઉત્તમ લક્ષણ અને ૩૪ અતિશયાદિથી અલંકૃત હતા. મૂર્તિમાં તો એક પણ લક્ષણ કે અતિશયનો પત્તો લાગતો નથી તીર્થંકર બિરાજતા તેની ચોતરફ સો સો ગાઉમાં કોઈ પ્રકારનો ઉપદ્રવ થતો નહિ, જ્યારે મૂર્તિને તોડનાર કે તેનાં ઘરેણાં ચોરનારને પણ કશું કરતી નથી. રામચંદ્રજી અને કૃષ્ણજીનું નામ સાંભળતાં જ દુર્જનોના હાજા ગગડી જતા હતા, આજે તેમની મૂર્તિનાં આભૂષણો ચોરાયાના અનેક પ્રસંગો બને છે. એટલા માટે મૂર્તિને મૂર્તિ તરીકે માને તો કંઈ હરકત નથી. પણ સાક્ષાત્ ભગવાન માને તો મિથ્યાત્વ છે. (૧૮) સન્માર્ગને ઉન્માર્ગ શ્રદ્ધ તો મિથ્યાત્વ : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીલ, સંતોષ, સરળતા, દયા, સત્ય ઇત્યાદિ જે મુક્તિનો માર્ગ છે તેને કર્મબંધનો, સંસારવૃધ્ધિનો માર્ગ કહે, દયા સત્ય ઇત્યાદિ જે મુક્તિનો માર્ગ છે તેને કર્મબંધનો, સંસારવૃધ્ધિનો માર્ગ કહે, દયા દાનને બૂડવાનું કારણ બતાવે તે મિથ્યાત્વ. કેટલાક કહે છે, “જીવને મારવામાં તો એક હિંસાનું જ પાપ લાગે છે પણ બચાવવાથી તે જેટલાં પાપ કરશે તે પાપનો અધિકારી તેને બચાવનારો થશે. કેમકે તેને બચાવ્યો તો તે પાપ કરવા લાગ્યો. તો તે બચાવવાવાળા અઢારે પાપના અધિકારી થાય છે !” આવી કુયુક્તિઓ લગાવી બિચારા જીવોના હૃદયમાંથી અનુકંપા રૂપ કલ્પવૃક્ષના અંકુરને ઉખેડી નાખે છે. કસાઈ સમાન કઠોર હૃદય બનાવી દે છે, પછી તો તેમના સમક્ષ કોઈ જીવ મરતો હોય, અગ્નિમાં કોઈ જીવ બળતો હોય, પાણીમાં ડૂબતો હોય તો પણ તે બેઠા બેઠા જોયા કરે છે. પણ તેને બચાવવાનો યત્ન કરતા નથી. અરે ! કોઈ બચાવતું હોય તો તેને પાપ કરાવે છે! અફસોસ ! આવો નિર્દયી મત પણ જૈન ધર્મમાં આ કાળે પ્રવર્તી રહ્યો છે. અગર એમને પૂછવામાં આવે કે, શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy