SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ચાલ્યું જશે. એમ માને છે અને આવી પ્રવૃતિના પરિણામે જ્ઞાની, ધ્યાની, તપસ્વી, સંયમી ઇત્યાદિ અનેક ગુણવંત મહાત્માઓનો દ્રોહ કરી મિથ્યાત્વ ઉપાર્જન કરે છે. અને અન્યને પણ ઉન્માર્ગે દોરે છે. આવા લોકોએ વિચારવું જોઈએ કે, ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ૧૪૦૦૦ સાધુઓ હતા. તે બધા સમાન ગુણના ધારક નહોતા. જો એમ હોત તો બધા જ કેવળજ્ઞાની થઈ જાત, પરંતુ કેવળી તો 900 થયા છે. છતાં ભગવંતે તે સાધુ કહ્યા છે. જેમ એક હીરો બસો રૂપિયાનો હોય અને એક હીરો ક્રોડ રૂપિયાનો પણ હોય તે બધા હીરા જ કહેવાય, સર્વને કાચના ટુકડા ન કહેવાય. ગુણોની ન્યૂનાધિકતા હોવા છતાં સાધુનાં મહાવ્રતોમાં મૂળ દોષ ન લગાડે તો તે સાધુ જ કહેવાય. (૧૫) અસાધુને સાધુ શ્રદ્ધે તો મિથ્યાત્વ : ઉપરોક્ત સાધુના ગુણોથી રહિત, ગૃહસ્થ સમાન, માત્ર વેષધારી, દસ પ્રકારના યતિ ધર્મ રહિત, મઠાવલંબી, અઢારે પાપોનું સ્વયં સેવન કરે, બીજા પાસે કરાવે, પાપાચરણની અનુમોદના કરે, શ્વેત અને પ્રમાણ સહિત વસ્ત્ર રાખવાને બદલે પીળાં, રાતાં, લીલાં, કાળો, ભગવાં ઇત્યાદિ વસ્ત્રો ધારણ કરે, છકાય જીવોની ઘાત કરે, ધાતુ, પરિગ્રહ રાખે એવા તથા મહાક્રોધી, મહા અભિમાની, દગલબાજ, મહા લાલચુ નિંદક ઇત્યાદિ દુર્ગુણોના ધારકને સાધુ માને તો મિથ્યાત્વ. કેટલાક ભોળા જીવો કહે છે કે, અમે તો વેષને વંદન નમન કરીએ છીએ. તેમણે વિચારવું ઘટે છે કે, બહુરૂપી – ભાંડ અથવા નાટકનું કોઈ પાત્ર સાધુનો વેષ ધારણ કરીને આવે તો શું તેમને પણ સાધુ માની વંદન કરવું ? એવું કરનારને તો આપણે જિનશાસનનો દ્રોહી જ સમજીએ “અપને તો ગુણકી પૂજા, નિગુણેકો પૂજે વહ પંથ હી દૂજા” કેટલાક કહે છે કે, પંચમકાળમાં શુધ્ધાચારી સાધુ છે જ નહિ. જો શુધ્ધાચાર પ્રરૂપે તો તીર્થનો જ વિચ્છેદ થઈ જાય ! એવા નાસ્તિકો અને કાર્યકરોએ સમજવું જોઈએ કે શ્રી ભગવતી સૂત્રમાં શ્રી ભગવંતે ફરમાવ્યું છે કે પાંચમા આરાના અંત પર્યત અર્થાત્ ૨૧૦૦૦ વર્ષ સુધી મારું શાસન ચાલશે. (૧૬) જીવને અજીવ શ્રદ્ધે તો મિથ્યાત્વ: પર્યાપ્તિ પ્રાણ યોગ ઉપયોગ ઇત્યાદિ જીવનાં લક્ષણ શાસ્ત્રમાં કહ્યાં છે, તેણે કરી સહિત જે એકેન્દ્રિયાદિ જીવો છે. તેને જીવ ન માને તે મિથ્યાત્વ છે. ૬૦ મિથ્યાત્વ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy