SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ તડકો લાગતો હોવાથી ઉષ્ણતા પણ તે જ વખતે ભોગવે છે. એ દૃષ્ટાંતે શિષ્યની શ્રધ્ધા ફરી ગઈ. પણ તે શિષ્યે એમ ન જાણ્યું કે સમય એ કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે, કે તેટલા વખતમાં આત્મા બે ઉપયોગ રાખી શકે નહિ, તેથી બે ક્રિયા ભોગવી (વેદી) શકે જ નહિ. જે વખતે શીતળતા વેદે છે તે વખતે ઉષ્ણતા ભોગવી શકે નહિ અને ઉષ્ણતાની અસ૨ ભોગવે તે વખતે શીતળતા (ઠંડક) ભોગવી શકે નહિ આ સત્ય વાત તે શિષ્યને હૈયે ન બેઠી અને શ્રધ્ધા ફરી તેથી તે નિહ્નવ થયા. (૬) પ્રજાપ્ત સાધુ : શ્રી ભગવાન જીવ અને કર્મનો સંબંધ દૂધમાં ઘી, તલમાં તેલ, પુષ્પમાં સુગંધના જેવો કહ્યો છે, જ્યારે પ્રજાપ્ત સાધુએ અર્થ અને કાંચળીના જેવો સંબંધ છે એવી સ્થાપના કરી અને ભગવાનના વચન ઉત્થાપવાથી તે છઠ્ઠો નિદ્ભવ થયો. (૭) અશ્વ મિત્ર : આ સાધુએ નરકાદિ ગતિના જીવોની વિપર્યાય ક્ષણ ક્ષણમાં પરાવૃત્ત થાય છે એવી સ્થાપના કરી. બૌધ્ધના ક્ષણિકવાદ જેવી એમની શ્રધ્ધા હોવાથી તે સાતમો નિદ્ભવ થયો. સાત નિહ્નવનું વર્ણન વાંચતાં જ જણાશે કે જે મહાત્માઓ નવચૈવેયક સુધી પહોચી શકે એવી જબરી ક્રિયા કરનારા હતા તેઓ એ માત્ર પ્રભુના એક વચનને ઉલટી રીતે પ્રરૂપ્યું તો નિહ્નવ તરીકે ગણાયા. અત્યારે સાધુઓ શ્રાવકો પ્રભુના શાસ્ત્રોમાંથી પાઠના પાઠ દે છે અને ઊંધા અર્થ કરી ઉપદેશ આપે છે ઉત્તમ શાસ્ત્રને અધમ શસ્ત્રરૂપે પરિણમાવે છે અનંત ભવોથી ઉધ્ધારનાર એવા પરમ પવિત્ર વચનો ને અનંત ભવભ્રમણ વધી જાય તેવી રીતે સ્થાપે છે તેવાની શી ગતિ થશે? એનો ખ્યાલ કરતા કંપારી છૂટે છે. હે ભવ્ય જીવો ! આપ હૃદયમાં જરા વિચાર કરજો કેટલાંક દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને અનુસરીને ધર્મક્રિયા કરવાનો મનઃલ્પિત અર્થ કરી શુધ્ધ તત્ત્વમાં અશુધ્ધિની સ્થાપના કરે છે અને હોશિયારીની બડાઈ મારે છે. તેને ચક્રવર્તી વ્યાજની માફક મિથ્યાત્વનો લાભ થાય અને અનંતો સંસાર રખડે. (૧૨) ધર્મને અધર્મ શ્રદ્ધે તો મિથ્યાત્વ : શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સમ્યક્ત્વા નામના ચોથા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં શ્રી જિનેશ્વર શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૨૫૭ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy