SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય કહ્યું ભગવાન મહાવીરે કહ્યું છે કે, ‘ઙેમાળે ડે’ અર્થાત્ કામ કરવા માંડયું તે કર્યું કહેવાય 2 જમાલી બોલ્યા શ્રી મહાવીર સ્વામીનું એ કથન ખોટું છે. કામ પૂર્ણ થયે જ પુરું થયું એમ કહેવું આ પ્રમાણે ભગવાનને જૂઠા કહેવાથી તેણે મિથ્યાત્વ ઉપાર્જન કર્યું. (૨) તિષ્યગુપ્ત : શ્રી વસુ આચાર્યના એક શિષ્ય તિષ્યગુપ્ત એક દિવસ આત્મપ્રવાદ પૂર્વની સ્વાધ્યાય કરતા હતા તેમાં એવો અધિકાર આવ્યો કે અહો ભગવન્ ! આત્માના એક પ્રદેશને જીવ કહેવો ? ભગવાને કહ્યું નહિ. આવી રીતે બે ત્રણ યાવત્ સંખ્યાત પ્રદેશ સુધી પૃચ્છા કરી તો પણ ભગવાને ના કહી. ફરી પૂછ્યું, અહો ભગવન ! અસંખ્યાતા પ્રદેશમાં એક પ્રદેશ અધુરો હોય તો તેને જીવ કહેવો ? ભગવાને કહ્યું નહિ. જેટલા આત્મ પ્રદેશ છે તેટલા પૂરા હોય તો જ જીવ કહેવો આ ઉપરથી તિષ્યગુપ્તે આત્માના અંતિમ પ્રદેશને જીવ માન્યો. અને એક પ્રદેશી આત્મા પ્રરૂપવા લાગ્યો. ગુરુજીએ બહુ સમજાવ્યો, પણ સમજ્યો નહિ. છેવટે તેને ગચ્છથી બહાર કાઢયો. અન્યદા તે તિષ્યગુપ્ત અમલકંપા નગરીમાં સુમિત્ર શ્રાવકને ઘે૨ ભિક્ષાર્થે ગયો. ત્યારે તે શ્રાવકે દાળનો અને ચોખાનો એક એક દાણો ભિક્ષામાં આપ્યો. ત્યારે તિષ્યગુપ્ત બોલ્યો કેમ ભાઈ ! મશ્કરી કરો છો? શ્રાવક બોલ્યા નહિ મહારાજ હું તો આપની શ્રધ્ધા પ્રમાણે જ કરૂં છું. એક આત્મપ્રદેશની અવગાહના તો અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. તો આટલો આહાર પણ આપના આત્માથી અસંખ્યાત ગણો અધિક હોવાથી વધી પડશે. આટલું સાંભળતાં જ તેની શ્રધ્ધા શુધ્ધ થઈ ગઈ. તેણે શ્રાવકનો ઉપકાર માન્યો. સુમિત્રે જવાબ દીધો મહારાજશ્રી ! આપને મારા અનેકવાર નમસ્કાર છે. મારા જેવા અલ્પજ્ઞ શ્રાવક પાસેથી આપે સીધી વાત ગ્રહણ કરી તેથી જેમ ઘેરથી કોઈ મુંબઈ જવા નીકળ્યો તે ભલે મુંબઈ પહોંચ્યો નહિ તો પણ લોકો તો મુંબઈ ગયો તે એમ જ વ્યવહારથી કહેશે આ ન્યાયે કામ કરવા માંડયું તે કર્યું એમ કહેવાય નિશ્ચયથી જેટલા સમયની ક્રિયા થઈ તે કરી જ ગણાય ફક્ત છેલ્લા સમયની ક્રિયાને જ ક્રિયા કહીએ તો એક સમયમાં સર્વ ક્રિયા થઈ ન શકે માટે ખોટું છે. ભવિષ્યનું વર્તમાનમાં આરોપણ નિગમનયથી થાય છે અને કોઈ નયનો એકાંતે નિષેધ કરવો તે પણ મિથ્યા છે. ન શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૨૫૫ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy