SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ અને પર આત્મા ઉપર લગાડતાં ૧૦ ભેદ થયા એ ૧૦ ઉપર શાશ્વત અને અશાશ્વત લગાડતી ૨૦ ભેદ થયા. નવે તત્વ ઉપર એ ૨૦ ભેદ લગાડતાં ૧૮૦ ભેદ ક્રિયાવાદીના થાય છે. ક્રિયાવાદીનો એવો મત છે કે જીવને પાપ-પુણ્ય રૂપ ક્રિયા લાગે છે. તેથી આલોક તથા પરલોકને સ્વીકારે છે. ક્રિયાવાદી હંમેશા ક્રિયાના જ વખાણ કરે છે. એકાંતપણે ક્રિયાને સ્થાપી જ્ઞાન, દર્શન વગેરેનું ઉત્થાપન કરે છે. પરંતુ વિચારવું જોઈએ કે સત્યજ્ઞાન વિના ક્રિયાનું સ્વરૂપ શી રીતે જાણવામાં આવશે? જ્ઞાન વિના ક્રિયા શૂન્ય છે. જ્ઞાન એકલું પાંગળું છે. ક્રિયા એકલી આંધળી છે. બંનેનો સંયોગ મળે તો જ ધાર્યા કામમાં સિધ્ધિ મળે. (૨) અક્રિયાવાદી : આ મતવાળા કહે છે કે સંસારના સર્વ પદાર્થો અસ્થિર છે. તેમજ આત્મા પણ અસ્થિર હોવાથી તેને ક્રિયા (પાપ, પુણ્ય) નથી કોઈ કહે છે આત્મા આકાશવત્ સર્વ વ્યાપક છે. નિરાકાર હોવાથી સર્વદા અક્રિય છે. નિર્લેપ હોવાથી પરમાત્મા છે. એનાથી પર કોઈ પરમાત્મા છે જ નહિ. જે પુણ્ય આદિની વાતો કરે છે તે દુનિયાને ઠગે છે. કોઈ કહે છે. આકાશ, તેજ, વાયુ, અપ અને પૃથ્વી એ પાંચ ભૂતોથી ૨૫ તત્ત્વ ઉત્પન્ન થાય છે. મૃત્યુ થાય છે. પાંચ ભૂતમાં મળી જાય છે આત્મા નાશ થાય છે આત્મા બીજી કોઈ વસ્તુ નથી આ બધા ભ્રમ છોડો અને મોજમઝા ઉડાવો આવું કહેનારને અક્રિયાવાદી કે નાસ્તિકવાદી પણ કહે છે. અક્રિયાવાદીના ૮૪ પ્રકાર પાંચ સમવાય અને ઇચ્છાથી ઉત્પન્ન થયેલ જગત એ ૬ને સ્વ અને પર આશ્રયી લગાડતાં ૧૨ મત થયા અને ૧૨ને ૭ તત્ત્વ (પુણ્ય, પાપ સિવાય) પર લગાડતા ૮૪ ભેદ થાય છે. (૩) અજ્ઞાનવાદી : આના ૬૭ મત છે. અજ્ઞાનવાદી ૭ સંકલ્પ વિકલ્પ કરે છે. (૧) જીવ શાશ્વત છે. (૨) જીવ શાશ્વત અશાશ્વત બને છે. (૩) જીવ અશાશ્વત છે. (૪) જીવ શાશ્વત છે પણ કહેવું નહિ (૫) જીવ અશાશ્વત છે પણ કહેવું નહિ. (૬) જીવ શાશ્વત - અશાશ્વત બને છે પણ કહેવું નહિ. (૭) જીવ શાશ્વત પણ નહિ અને અશાશ્વત પણ નહિ. સંકલ્પ ને વિલ્પને નવતત્ત્વ પર લગાડતાં ૬૩ મત થયા. તેમાં સાંખ્ય, શિવ વેદ અને વિષ્ણુમતવાદી એ ચાર મત કોઈ કોઈ પક્ષ ગ્રહણ કરી મેળવવાથી ૬૭ મત થાય છે. સ્પર મિથ્યાત્વ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy