SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દેવગત ૪ (૨) ગુરુગત અને (૩) ધર્મગત જેનામાં શાસ્ત્રકથિત દેવના જ્ઞાનાદિ ગુણો ન હોય એવા નામધારી દેવોને દેવ માને. કોઈ વસ્તુ દ્વારા આકાર આપી દેવ તરીકે માને તે દેવગત મિથ્યાત્વ. સાધુ બન્યા પણ જેમાં ગુરુના લક્ષણ નથી. બીજા સન્યાસીની માફક હિંસા કરે છે. જૂઠ બોલે છે. ચોરી કરે છે, સ્ત્રીનું સેવન કરે છે. ધન વિગેરે પરિગ્રહ રાખે છે રાત્રિભોજન કરે છે. ઇત્યાદિ અનેકરૂપે પાખંડ કરી • પેટ ભરાઈ કરી ફરતા ફરે એવાને માને પૂજે તે ગુરુગત મિથ્યાત્વ. ૩૬૩ પાખંડીના મતનું વર્ણન પાંચ સમવાયનું સ્વરૂપ પાંચ સમવાયનાં નામ : (૧) કાળવાદી, (૨) સ્વભાવવાદી, (૩) નિયતિવાદી ભવિતવ્યતા (હોનહારવાદી), (૪) કર્મવાદી, (૫) ઉદ્યમવાદી. એકાંતવાદના (મતના) સ્થાપક ઉપર્યુક્ત પાંચ પ્રકારના હોય છે. હવે તે પાંચનું સ્વરૂપ કહે છે. ૦ શ્લોક : સવે રેવન્યુ ગુરગુરૌ વાયા છે अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्व तद् विपर्ययात्॥ અર્થ અદેવને દેવ બુદ્ધિથી, અગુરુને ગુરુબુધ્ધિથી અને અધર્મને ધર્મબુધ્ધિથી વિપર્યય (ચિત્તવિભ્રમ)ને લીધે માનવું તેને મિથ્યાત્વ કહે છે.) • પાખંડી ગુરુને માટે કહ્યું છે કે : શ્લોકઃ धर्म ध्वजी सदा लुब्धश्छविको लोकदम्भक :। वैडालवतिको ज्ञेयो, हिंस्त्र : सर्वाभिसंघक :।। अधोदष्टि नै कृतिक : स्वार्थ साधनतत्पर : । शठो मिथ्यावितश्च, बकवृत्तिचरो द्विज : ॥ (મનુસ્મૃતિ, અધ્યાય ૪) અર્થ ધર્મના નામથી લોકોને ઠગે સદા લોભી, કપટી લોકમાં પોતાની બડાઈ કરનાર, હિંસક, વૈર (ઇર્ષા) રાખે થોડાં ગુણવાળો છતાં બહુ જ અભિમાન કરે, ખોટું કરીને પોતાનો સ્વાર્થ સાધે, પોતાનો પક્ષ ખોટો જાણે તો પણ હઠ છોડે નહિ. જૂઠા સોગન ખાય ઉપરથી ઉજ્જવલ અને અંદરથી મેલા એ પ્રમાણે બગલા જેવા ચિત્તવાળા એટલાં લક્ષણવાળાને પાખંડી દ્વિજ કહેવા. શ્રી જૈન તત્ત્વ સાર ૨૪૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy