SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તમાં ૫ જ્ઞાનાવરણીય, ૯, દર્શનાવરણીય અને ૫ અંતરાય કર્મ એ ત્રણે કર્મની ૧૯ પ્રકૃતિઓને ખપાવે છે અને તત્કાલ ૧૩મું સયોગી કેવળી ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ જીવ કેવળજ્ઞાન, કેવળદર્શન સંપન્ન, સયોગી, સશ૨ી૨ી, સલેશી, શુક્લલેશી યથાખ્યાત ચારિત્રી, ક્ષાયિક સમ્યક્ત્વી, પંડિત વીર્યવંત, શુક્લધ્યાનયુક્ત હોય છે. જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશે ઊણાં (૯ વર્ષ ઊણું) પૂર્વ ક્રોડ સુધી રહી પછી ૧૪મું અયોગી કેવળી ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. આ જીવ શુક્લધ્યાનના ચોથા પાયાનો ધ્યાતા, સમુચ્છિન્ન ક્રિયા અનંતર - અપ્રતિપાતી અનિવૃત્તિ ધ્યાતા થઈ, મન, વચન અને કાયા એ ત્રણે યોગોનો નિગ્રહ કરી શ્વાસોચ્છ્વાસનું રૂંધન કરે છે. આ પ્રમાણે અયોગી કેવળી બની રૂપાતીત (સિધ્ધ સ્વરૂપ) આત્માના અનુભવમાં અત્યંત લીન થઈને શૈલેશી (સુદર્શન મેરુ પર્વત) સમાન નિશ્ચલ રહી બાકી રહેલાં વેદનીય આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે કર્મોને ક્ષય કરે છે. અને ઔદારિક તૈજસ અને કાર્યણ એ ત્રણે શરીરોને છોડીને જેમ એરંડાનું બીજ બંધનમુક્ત થવાથી ઊછળે છે તેવી રીતે કર્મબંધનથી મુક્ત થયેલ જીવ મુક્તિ તરફ ગમન કરે છે. જેમ અગ્નિજવાલાનો ઉર્ધ્વગમનનો સ્વભાવ છે તેમ નિષ્કર્મી જીવનો ઉર્ધ્વગમનનો સ્વભાવ હોવાથી તે સમશ્રેણી ૠજુગતિ અન્ય આકાશ પ્રદેશનું અવગાહન કર્યા વિના, વિગ્રહ ગતિ રહિત, એક સમય માત્રમાં મોક્ષસ્થાનને પ્રાપ્ત કરી અનંત, અક્ષય, અવ્યાબાધ, અનુપમ સુખોનો ભોકતા બને છે. તે આગમપ્રમાણ જાણવું. એ પ્રમાણે ચાર નિક્ષેપ, ચાર પ્રમાણ, ઇત્યાદિ અનેક રીતિ વડે નવ તત્ત્વના સ્વરૂપનું સંપૂર્ણ જાણપણું હોવું તે સૂત્રધર્મ છે. વળી આ સૂત્રધર્મના પેટામાં દ્વાદશાંગી વાણી વગેરે સર્વે જ્ઞાનનો સમાવેશ થાય છે. એ જ્ઞાનનો કોઈ પાર પામી શકે નહિ. પણ તેમાંથી યથાશક્તિ પ્રાપ્ત કરી લેવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. શાસ્ત્રજ્ઞાન અનંત છે, વિદ્યાઓ ઘણી છે. પરંતુ મનુષ્યનું આયુષ્ય અલ્પ છે અને વિઘ્નો અનેક છે. માટે જેમ હંસ પાણીને છોડીને દૂધને ગ્રહણ કરે છે તેમ વિવેકી પુરુષે સર્વમાંથી સાર ગ્રહણ કરી લેવો જોઈએ. શાસ્ત્રજ્ઞાન અનેક શંકાઓનો છેદ કરનાર, મોક્ષમાર્ગદર્શક અને સર્વ જીવોના નેત્રરૂપ છે. શાસ્ત્રજ્ઞાનરૂપ નેત્ર જેમને નથી તે અંધ સમાન છે. ૨૪૨ Jain Education International નિક્ષેપ અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy