SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ તથા ૩ વેદ (સ્ત્રી, પુરુષ, નપુંસક) એમ ૨૭ પ્રકૃતિને ઉપશમાવે અથવા ખપાવે તે અવેદી અને સરળ સ્વભાવી જીવ જઘન્ય તે જ ભાવે ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. S (૧૦) સુક્ષ્મસંપરાય ગુણસ્થાનકઃ પૂર્વોક્ત ર૭ પ્રકૃતિ અને સંજ્વલનનો લોભ એ ૨૮ પ્રકૃતિઓને ઉપશમાવે તો ઉપશમશ્રેણી કરે અને ખપાવે તો ક્ષપકશ્રેણી કરે. આ જીવ અવ્યામોહ, અવિભ્રમ, શાંતસ્વરૂપ જઘન્ય તે જ ભવે ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષ જાય. (૧૧) ઉપશાંત મોહનીય ગુણસ્થાનકઃ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને રાખથી ભરેલા અગ્નિની પેઠે ઉપશમાવે, તેને યથાખ્યાત ચારિત્ર હોય, અહીં જો કાળ કરે તો અનુત્તરવિમાનમાં ઊપજે, ત્યાંથી મનુષ્ય થઈ ને મોક્ષે જાય. અને જો ઉપશમાવેલ સંજવલન લોભનો ઉદય થાય (વાયુથી રાખ ઊડે અને ભારેલો અગ્નિ પ્રજ્વલે તેમ) તો પાછો પડી દસમે નવમે ગુણસ્થાનકે થઈ આઠમે આવે, ત્યાં સાવધાન થઈ જો પાછો ક્ષપકશ્રેણી કરે તો તે જ ભવમાં મોક્ષ જાય. તેમ નહિ તો ચોથે આવી કોઈ જીવ સમકિતી રહે તો પણ ત્રીજે ભવે મોક્ષ પ્રાપ્ત કરે છે. અને જો કર્મસંયોગે પહેલે ગુણસ્થાનકે આવી જાય તો દેશે ઉણા અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં મોક્ષ પામે છે. (૧૨) ક્ષણ મોહનીય ગુણસ્થાનક : મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને સર્વથા પ્રકારે ખપાવેલી હોવાથી (પાણી અગ્નિ બુઝાવે તેમ) અહીં ૨૧ ગુણ પ્રગટે છે. જેમકે (૧) ક્ષપકશેણી, (૨) ક્ષાયિકભાવ, (૩) ક્ષાયિક સમ્યત્વ, (૪) ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, (૫) કરણસત્ય, (૬) ભાવ સત્ય, (૭) જોગસત્ય, (૮) અમાયી, (૯) અકષાયી, (૧૦) વીતરાગી, (૧૧) ભાવનિગ્રંથ, (૧૨) સંપૂર્ણ સંવુડ, (૧૩) સંપૂર્ણ ભાવિતાત્મા, (૧૪) મહાતપસ્વી, (૧૫) મહાસુશીલ, (૧૬) અમોહી (૧૭) અવિકારી, (૧૮) મહાજ્ઞાની, (૧૯) મહાધ્યાની, (૨૦) વર્ધમાન પરિણામી (૨૧) અપ્રતિપાતી એ ૨૧ ગુણોને 9 આઠમું નિવૃત્તિનાદર અને નવમું અનિવૃત્તિ બાદર એવો ઊલટો ક્રમ શા માટે કહ્યો? ઉત્તરઃ ચારિત્ર મોહનીયની અપેક્ષાએ દર્શન મોહનીય બાદર છે. તેની નિવૃત્તિ આઠમે ગુણસ્થાનકે થાય છે. તેથી તેને નિવૃત્તિનાદર કહ્યું અને કિંચિત્માઝ મોહનીય કર્મની પ્રકૃતિ સત્તામાં રહી જાય છે. તેથી નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક કહ્યું. આ બન્ને નામ સાપેક્ષ છે. તત્ત્વકેવલી ગમ્ય. શ્રી જૈન તત્વ સાર ર૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy