SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અને (૧૨) ચોસઠ ઇન્દ્રાના પૂજનીય આ બાર જ ગુણોથી યુક્ત અરિહંત ભગવાન હોય છે. અરિહંત ભગવાનના ૩૪ અતિશય-સમવાયાંગ સૂત્ર (૧) મસ્તકાદિ વગેરે અંગના વાળ મર્યાદાથી વધારે (ખરાબ લાગે તેમ) વધે નહિ. (૨) રમેલ વગેરે અશુભ લેપ શરીરને ચોટે નહિ. (૩) લોહી, માંસ, ગાયના દૂધ કરતાં પણ વધારે ઉજ્જવળ અને મીઠાં હોય. (૪) શ્વાસોચ્છવાસમાં પદ્મકમળથી પણ વધારે સુગંધ આવે. (૫) આહાર અને નિહાર, ચર્મચક્ષુવાળાં જીવો ન જોઈ શકે. પણ અવધિજ્ઞાનવાળા જઈ શકે. (૬) ધર્મચક્ર આકાશમાં ઘરઘરાહટ ધ્વનિ કરતાં જ્યારે ભગવાન ચાલે ત્યારે આગળ ચાલે અને ભગવાન થોભે ત્યારે તે પણ થોભે છે. (૭) લાંબી લાંબી મોતીઓની ઝાલરવાળાં એકનાં ઉપર એક એમ ત્રણ છત્રો ભગવાનના મસ્તક ઉપર આકાશમાં દેખાય છે. (૮) ગાયનું દૂધ અને કમળના તંતુઓથી પણ અતિ ઉજ્જવળ વાળવાળા રત્નજડિત દંયુક્ત ચામર ભગવાનની બન્ને બાજુ * કેટલાક અરિહંતના ૧૨ ગુણાં આ પ્રમાણે પણ કહે છે. (૧) જ્યાં જ્યાં તીર્થંકર પ્રભુ સમારે ત્યાં ત્યાં પ્રભુનાં શરીરથી બાર ગણું ઊંચું અશોક વૃક્ષ થઈ આવે. તેની નીચે બેસીને પ્રભુ દેશના દે. (ર) પ્રભુના સમોસરણમાં પાંચ વર્ણનાં ફૂલાની વૃપ્તિ થાય તે ફૂલોનાં બીટાં નીચે અને મુખ ઉપર રહે. (૩) જ્યારે પ્રભુ દેશના દે ત્યારે પ્રભુનો સ્વર અખંડ પુરાય. (૪) ભગવંતની બન્ને બાજુએ રત્નજડિત સુવર્ણની દાંડીવાળાં શ્વેત ચામરો વીંઝાય. (૫) ભગવંતને બેસવા માટે સિંહના રૂપે શોભાયમાન રત્નજડિત સિંહાસન થઈ આવે તે ઉપર બેસીને પ્રભુ દેશના દે છે. (૬) ભગવંતના મસ્તકના પાછલા ભાગે સૂર્યથી પણ અધિક પ્રકાશવાળું ભામંડળ થઈ આવે. (૭) ભગવંતના સમોસરણમાં ગર્જારવ શબ્દવાળી ભેરી વાગે. (૮) ભગવંતના મસ્તક ઉપર અતિશય ઉજ્જવળ એવા ત્રણ છત્રા થઈ આવે. (૯) જ્યાં જ્યાં ભગવંત વિચરે ત્યાં ત્યાં ભગવંતની ચારે બાજુ પચીસ પચીસ જોજન સુધીમાં પ્રાયઃ રોગ, વેર, ઉદર, મારી, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, સ્વ અને પરના સૈન્યનો ભય પ્રાયઃ હાય નહિ. (૧૦) કેવળ જ્ઞાન અને દર્શન વડે ભગવંત લોક અને અલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણીદેખી રહ્યા છે. (૧૧) ભગવંતની રાજા, બળદેવ. વાસુદેવ ચક્રવર્તી, ભવનપતિ, અંતર જ્યોતિષી અને વૈમાનિક પ્રમુખ ભવ્ય જીવો સંવાભક્તિ કરવાની અભિલાષા રાખે છે. (૧ર) ભગવંત એવી વાણીથી દેશના દે છે કે, મનુષ્ય દેવ અને તિર્યંચ એ બધા પાત પોતાની ભાષામાં સમજી જાય. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy