SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગો સમભાવ પૂર્વક સહન કરે છે. અનેક પ્રકારની દુષ્કર તપશ્ચર્યા કરીને ચાર ઘનઘાતી કર્મનો ક્ષય કરે છે. મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતાં જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મો અંતર્મુહૂર્તમાં ક્ષય પામે છે. (૧) જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૨) દર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવળદર્શન પ્રાપ્ત થાય છે. (૩) મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયક સમકિત અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે. (૪) અંતરાય કર્મના ક્ષયથી અનંત દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય લબ્ધિની પ્રાપ્તિ થાય છે. જેથી તેઓ અનંત શક્તિશાળી થાય છે. શેષ-વેદનીય-આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મ શેકેલા બીજની માફક નિરંકૂર (ઉત્પન્ન કરવાની શક્તિથી રહિત) બની જાય છે અને તે આયુષ્ય કર્મના કાયની સાથે જ ક્ષય પામે છે. ઉપરોક્ત ચારે ઘનઘાતી કર્મનો ક્ષય કરવાથી તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે. તે અરિહંત ભગવાન બાર ગુણ, ચોત્રીશ અતિશય, પાંત્રીશ વાણીના ગુણે કરી સહિત અને અઢાર દોષ રહિત હોય છે. ગુણોની અપેક્ષાએ કેવળી ભગવાન (અરિહંત) અને તીર્થકર (અરિહંત) સરખા જ છે. પરંતુ તીર્થકરમાં આઠ મહાપ્રાતિહાર્ય, ચોત્રીશ અતિશય, પાંત્રીશ પ્રકારની સત્ય વચન વાણી અને એક હજાર આઠ ઉત્તમ લક્ષણની વિશેષતા છે. સર્વશ્રેષ્ઠ પુણ્યશાળી આત્મા તીર્થંકર ગણાય છે. અરિહંતના ૧૨ ગુણો (૧) અનંતજ્ઞાન, (૨) અનંત દર્શન, (૩) અનંત ચારિત્ર, (૪) અનંત તપ, (૫) અનંત બળવીર્ય, (૬) અનંત લાયક સમ્યક્ત, (૭) વજઋષભ નારા સંતનન, (૮) સમચતુરસ સંસ્થાન, (૯) ચોત્રીસ અતિશય, (૧૦) પાંત્રીસ વાણીના ગુણો, (૧૧) એક હજાર આઠ ઉત્તમ લક્ષણના ધારણહાર | [૪] અરિક, અરિહંત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy