SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સંવરકરણી આદરીને પૂર્વ કર્મનાં જે જે દળિયાં આત્મ પ્રદેશમાં છે તે દળિયાંને ખપાવી આત્માને મોક્ષ ગતિને યોગ્ય કરે તેને નિર્જરાતત્ત્વ કહે છે. એ નિર્જરાના બાર પ્રકાર છેઃ (૧) અણસણ - અન્ન વગેરે ચાર આહાર થોડો વખત અગર જાવજીવ લગી છોડે, (૨) ઉણોદરી - આહાર અને ઉપકરણ ઓછો કરે, (૩) વૃત્તિ સંક્ષેપ - ભિક્ષાચારી એટલે ગોચરી કરે, (૪) રસપરિત્યાગ - રસનો ત્યાગ કરે, (૫) કાયક્લેશ - કાયાને જ્ઞાન બુધ્ધિથી કષ્ટ આપે, (૬) પ્રતિસંલીનતા - આત્માને વશ કરે. એ છ પ્રકાર બાહ્ય એટલે પ્રગટ તપ આદરે, (૭) પ્રાયશ્ચિત્ત - પાપનું નિવારણ તે થયેલાં પાપોથી નિવર્તવા દંડ લે, (૮) વિનય - નમ્રતા રાખે, (૯) વૈયાવૃત્ય - ગુરુ વગેરેની ભક્તિ-સેવા કરે, (૧૦) સઝાય - શાસ્ત્ર જાણે, (૧૧) ધ્યાન – શાસ્ત્રના અર્થની વિચારણા કરે, (૧૨) કાઉસગ્ગ - (કાયોત્સર્ગ) એ છ આત્યંતર એટલે ગુપ્ત તપ છે. કુલ ૧૨ ભેદ નિર્જરાના છે તે આદરી આત્મામાં રહેલાં કર્મનાં દલિકોનો ક્ષય કરવો. I૮) બંધ તત્ત્વ જેમ દૂધમાં પાણી, માટીમાં ધાતુ, ફૂલમાં અત્તર, તલમાં તેલ રહેલ છે, તેમ આત્મ પ્રદેશ અને કર્મ પુદ્ગલ એકબીજાનાં બંધાઈ રહેલ છે તેને બંધ તત્ત્વ કહે છે. એ બંધતત્ત્વના ચાર પ્રકાર છે; ૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાગ બંધ, (૪) પ્રદેશબંધ. (૧) પ્રકૃતિ બંધ પ્રકૃતિબંધ તે કર્મનો સ્વભાવ તથા પરિણામ. હવે આઠે કર્મ કેવી રીતે બાંધે છે અને તેનાં ફળ કેવી રીતે ભોગવે છે તે વર્ણવે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ :- જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે. (૧) નાણ પડિણિયાએ – જ્ઞાન તથા જ્ઞાનીની નિંદા કરે (૨) નાણ નિન્યવણિયાએ - જ્ઞાનીના ઉપકાર ઓળવે (છુપાવે) (૩) નાણ આસાયણાએ – જ્ઞાન તથા જ્ઞાનીની આશાતના (અપમાન-તિરસ્કાર) કરે (૪) નાણ અંતરાણ - જ્ઞાનીને તથા શીખનારને અંતરાય પાડે (૫) નાણ પઉસણ - જ્ઞાની ઉપર દ્વેષ કરે શ્રી જૈન તત્ત્વ સાર - ૨૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy