SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પ્રકારની ક્રિયા જેનાથી કર્મ આવે તેને ક્રિયા કહે છે. એ ક્રિયાના બે ભેદ છે. (૧) જીવથી લાગે તે જીવક્રિયા અને (૨) અજીવથી લાગે તે અજીવ ક્રિયા. જીવથી લાગે તેના બે ભેદ છે. (૧) સમ્યકત્વી જીવને લાગે તે સમકિતી જીવની ક્રિયા (૨) મિથ્યાત્વી જીવને લાગે તે મિથ્યાત્વી જીવની ક્રિયા. અજીવક્રિયા બે પ્રકારની છે. (૧) સાપરાયિકી ક્રિયા : કષાયોદયવાળો આત્મા કાયયોગ આદિ ત્રણ પ્રકારે શુભ અશુભ યોગથી જે કર્મ બાંધે છે તે અને (૨) ઇર્યાપથિકી ક્રિયા - ઉપશમ કષાયી અને ક્ષીણ કષાયી (અકષાયી) વીતરાગીને ફકત યોગની પ્રવૃત્તિથી લાગે છે. તેમાં ઇર્યાપથિકી ક્રિયા ફક્ત એક પ્રકારની છે. અને સાંપરાયિકી ક્રિયાના ૨૪ પ્રકાર છે. (૧) કાયિકી ક્રિયાઃ દુષ્ટભાવયુક્ત થઈને કાયયોગથી પાપની પ્રવૃત્તિ કરવી. અથવા અજતનાનાં કાર્યોમાં કાયાને પ્રવર્તાવવી તે કાયિકી ક્રિયા, મારું શરીર દુર્બળ થઈ જશે ઇત્યાદિ વિચારથી વ્રત નિયમાદિનું પાલન કે ધર્માચારણ કરે નહિ તેને પણ કાયિકી ક્રિયા લાગે છે. તેના બે ભેદ છે. (૧) અનુપરત કાયિકી ક્રિયા- જેમણે આ ભવમાં વ્રત પચ્ચખાણ દ્વારા આસવનો નિરોધ કર્યો નથી તેમને સંસારમાં જેટલાં આરંભ સમારંભના કામો રહ્યાં છે તે બધાંની નિરંતર અવ્રતની ક્રિયા આવ્યા કરે છે તે અવ્રતીની કાયિકી ક્રિયા અને (૨) દુપ્રયુક્ત કાયિકી ક્રિયા - જે સાધુ શ્રાવક વ્રત પચ્ચખાણ કરવા પછી પણ અયતનાએ શરીર પ્રવર્તાવે તે વ્રતની કાયિકી ક્રિયા લાગે છે. (૨) અધિકરણિકી ક્રિયા - ચાકુ, છરી, સોય, કાતર, તલવાર, ભાલા બરછી, ધનુષ્યબાણ, બંદુક, તોપ, કોદાળી, પાવડા, હળ, ઘંટી, સાંબેલું વગેરે શસ્ત્રોનો સંગ્રહ કે પ્રયોગ કરવાથી તથા કઠોર, દુ:ખપ્રદ ઘાતક શસ્ત્રો સમાન દુઃખદાતા વચનોચ્ચાર કરવાથી અધિકરણિકી ક્રિયા લાગે છે. તેના બે પ્રકાર છે. (૧) સંયોજનાધિકરણિકી - શસ્ત્ર અધૂરાં હોય તે ૨૦૨ સૂત્ર ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy