SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧.... અરિહંત” અરિહંતના બે ભેદ : (૧) તીર્થંક૨, (૨) સામાન્ય કેવળી ભગવાન. જે ચૈતન્ય (જીવ) આ પહેલાના ત્રીજા ભવમાં નીચેના બોલો પૈકી કોઈપણ એક બોલ અથવા ઘણા બોલોનું યથાર્થ રૂપે આરાધન કરે તે આગળ ત્રીજા ભવમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે. તીર્થંકર નામ ગોત્ર બાંધવાના ૨૦ બોલ गाथा :- अरिहंत सिद्ध पवयण, गुरु थेर बहुस्सु वस्सी । वच्छलयाए तेसिं अभिक्खणं નાખોવઓને ય ! ક્॥ दंसण विणए आवस्सए य सीलव्वए निरइयारे । खणलव तव च्चियांए वेयावच्चे समाहीय ॥ २ ॥ अपुव्वणाणगहणे सुयभत्ती पवयणे पभावणया । एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ નીવો ।। ૩ ।। અર્થ : (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (શાસ્ત્ર) (૪) ગુરુ (૫) સ્થવિર (વૃદ્ધ) (૬) બહુસૂત્રી-પંડિત (૭) તપસ્વી એ સાતેનાં ગુણકીર્તન કરવાથી (૮) જ્ઞાનમાં વારંવાર ઉપયોગ લગાવવાથી (૯) દોષરહિત નિર્મળ સમ્યક્ત્વના આરાધનથી (૧૦) ગુરુ આદિ પૂજ્યજનોનો વિનય કરવાથી (૧૧) દેવસિય, રાઇય, પાક્ષિક, ચૌમાસી અને સંવત્સરી એમ પાંચે પ્રકારનાં પ્રતિક્રમણ કરવાથી (૧૨) શીલ અને વ્રતો દોષ રહિત પાલન કરવાથી (૧૩) નિવૃત્તિ- વૈરાગ્યભાવ સદૈવ રાખવાથી, (૧૪) બાહ્ય અને આત્યંતર (ગુપ્ત) તપશ્ચર્યા કરવાથી (૧૫) ત્યાગ, અભયદાન અને સુપાત્રે દાન દેવાથી (૧૬) ગુરુ, રોગી, તપસ્વી, વૃદ્ધ અને નવદીક્ષિત એ સર્વની વૈયાવૃત્ય-સેવાભક્તિ કરવાથી (૧૭) સમાધિભાવ રાખવાથી (૧૮) અપૂર્વ-નિત્ય નવો જ્ઞાનાભ્યાસ ક૨વાથી (૧૯) સૂત્ર ભક્તિ તથા (૨૦) તન મન અને ધનથી પ્રવચનની ઉન્નતિ પ્રભાવના કરવાથી આ ૨૦ બોલમાંથી કોઈ પણ એક અથવા એકથી વધુ બોલનું પાલન કરનાર પ્રાણી તીર્થંકરગોત્રનું ઉપાર્જન કરે છે અને તે દરમ્યાન દેવ અથવા નારકીનો એક ભવ કરીને ત્રીજા ભવમાં તીર્થંકર-અરિહંતપદને પ્રાપ્ત થાય છે. ૨ 66 Jain Education International અરિહંત અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy