SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જે તાવ સાર મંગલાચરણ सिद्धाणं णमो किच्चा संजयाणं च भावओ। अत्यधम्मगइं तच्चं अणुसटुिं सुणेह मे ॥ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન - ૨૦ ગાથા - ૧) અર્થ : “સિદ્ધ' (અરિહંત, સિદ્ધ) અને “સંયતિ' (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ) ને વિશુદ્ધ ભાવથી નમસ્કાર કરીને યથાર્થ – સત્ય સર્વ અર્થની સિદ્ધિ કરનારો એવો જે આચરણીય ધર્મ છે તેનું સ્વરૂપ અનુક્રમે કહું છું. અહો ભવ્યજીવો! એને મન, વચન અને કાયા રૂપ ત્રણે યોગોને સ્થિર કરીને શ્રવણ કરો ! ૯ પ્રથમ ખંડ છે “સિદ્ધા અને લિવ્યા,” વિશેષાર્થઃ સિદ્ધ ભગવાન બે પ્રકારના હોય છે. (૧) “ભાષક' (અર્થાત્ બોલતા સિદ્ધ) એટલે કે અરિહંત ભગવાન. જેમકે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૯મા અધ્યયનમાં નમિરાજર્ષિને સંસાર અવસ્થામાં “જાઈ સરિતુ ભયવં” “એટલે કે ભગવાને જાતિનું સ્મરણ કર્યું” એમ કહી ભગવંત રૂપે સંબોધ્યા છે અને ઉક્ત સૂત્રના ૧૯માં અધ્યયનમાં મૃગાપુત્રને માટે “યુવરાયા દમીસરે” એ પદ મૂકીને યુવરાજ પદ ભોગવતાં જ તેમને દમીશ્વર -- ઋષીશ્વર કહ્યા છે. એ જ પ્રમાણે અરિહંત ભગવાન પણ ભવિષ્યકાળમાં સિદ્ધ થનાર છે તેથી તેમને પણ સિદ્ધ કહ્યાં છે અને (૨) “અભાષક સર્વ કાર્ય સિદ્ધ કરી સકળ કર્મરૂપ કલંકને ખપાવી નિજાત્મ સ્વરૂપ સચ્ચિદાનંદ પદને પ્રાપ્ત થયા છે તેમને “અભાષક’ સિદ્ધ કહેલ છે. એ બન્ને સિદ્ધ ભગવાનનું સવિસ્તૃત વર્ણન આગળના પ્રકરણોમાં ક્રમથી કરવામાં આવશે. “કરવા માંડ્યું તે કર્યું” તે અપેક્ષાથી પણ અરિહંતને સિદ્ધ કહેવાય. શ્રી જૈન તત્વ સાર | ૧ | | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy