SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ગોત્ર ઉપાર્જન કરવાનો લાભ બતાવ્યો છે, તેવી ઉત્તમ વસ્તુનું ઉત્થાપન થયું. વળી પુણ્ય કર્મ આદરવું જ એમ પણ એકાંત પક્ષ તાણવો નહિ; પુણ્ય કર્મ આદર્યા કરીએ તો તેના ફળ ભોગવવાં જોઈએ. અને ફળ ભોગવવાપણું જ્યાં સુધી છે. ત્યાં લગી મોક્ષના અનુપમ સુખ શી રીતે મળે ? તેથી તો મોક્ષને અટકાવનાર પુણ્ય કર્મ થાય છે. માટે જ્યાં લગી જીવ મોક્ષ નજીક નથી થયો ત્યાં લગી પુણ્ય કર્મ આદરવા યોગ્ય છે. શાસ્ત્રમાં પુણ્યનો મહિમા ઠેક ઠેકાણે બતાવ્યો છે. ઠેઠ તેરમા ગુણસ્થાનકે પણ પુણ્ય પ્રકૃતિ છે. માટે એકાંત સ્થાપન કે ઉત્થાપન ન કરવું. પુણ્ય તત્ત્વમાં વિવેક રાખવો અને પુણ્યના ફળની ઇચ્છા ન રાખવી એ સમ્યકત્વ લક્ષણ છે. આ વિવેક તે ગુણસ્થાન ભેદે ભિન્ન ભિન્ન વ્યવહાર સમજવો તે છે. (૪) પાપ તત્ત્વો પાપના ફળ કડવાં છે. પાપ કરવું ઘણું સહેલું છે. તેનાં ફળ ભોગવવાં ઘણાં દુઃખકર છે. અઢાર પ્રકારથી પાપ બંધાય છે : (૧) પ્રાણાતિપાત (જીવની હિંસા), (૨) મૃષાવાદ (જૂઠું બોલવું), (૩) અદત્તાદાન (ચોરી), (૪) મૈથુન (સ્ત્રી આદિ સંગ), (૫) પરિગ્રહ (ધન વગેરેનો સંગ્રહ અને મમત્વ), (૬) ક્રોધ (ગુસ્સો), (૭) માન (અહંકાર), (૮) માયા (કપટ), (૯) લોભ (તૃષ્ણા), (૧૦) રાગ (પ્રેમ-આસક્તિ), (૧૧) દ્વેષ (ઇર્ષા-અદેખાઈ), (૧૨) કલહ (કલેશ), (૧૩) અભ્યાખ્યાન (ખોટું આળ), (૧૪) પૈશૂન્ય (ચાડીચૂગલી), (૧૫) પરપરિવાદ (નિદા), (૧૬) રતિ અરતિ (હર્ષ-શોક), (૧૭) માયા મોસો (કપટ સહિત જૂઠું), (૧૮) મિચ્છા દંસણ સલ્લ (અસત્ય મતની શ્રધ્ધા હોવી), એ ૧૮ કર્મ આદરવાથી પાપનો અશુભબંધ પડે છે. એ ૧૮ પાપસ્થાનકનાં અશુભ બંધના અશુભ ફળ ૮૨ પ્રકારે ભોગવે છે. તેનાં નામ – (૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, (૩) અવધિ જ્ઞાનાવરણીય, (૪) મનઃ પર્યવ જ્ઞાનાવરણીય, (૫) કેવળ જ્ઞાનાવરણીય (એ પાંચની અંતરાય પડે), (૬) દાનાંતરાય (દાન દઈ ન શકે), (૭) લાભાંતરાય શ્રી જૈન તત્ત્વ સાર ૧૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy