SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી બે ગંધના ૨૩ X ર= ૪૬ ભેદ થયા. હવે તીખો, કડવો, કસાયેલો, ખાટો અને મીઠો એ પાંચ રસમાંના દરેકમાં ૫ વર્ણ, ર ગંધ, પ સંઠાણ અને ૮ સ્પર્શ મળી ૨૦ બોલ લાભે તેથી ૫ રસના ૨૦ X ૫ = ૧૦૦ ભેદ થયા. હવે પરિમંડલ (ચૂડલી જેવું) વટ્ટ (ગોળ લાડુ જેવું) ચંસ (ત્રિકોણ) ચરિંસ (ચોખૂણ) અને આયત (નળાકાર લાંબુ) એ પાંચ સંઠાણમાંના દરેક સંડાણમાં ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, અને ૮ સ્પર્શ મળી ૨૦ બોલ લાભે. તેથી પાંચ સંઠાણના મળી ર૦ x ૫ = ૧૦૦ ભેદ થયા હવે ખરખરો સુંવાળો, ભારે, હળવો, ટાઢો, ઊનો, ચોપડયો, લુખો એ આઠમાંના અકેક સ્પર્શના ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૫ સંઠાણ, અને દરેક સ્પર્શમાં તે સ્પર્શ તથા તેનો પ્રતિપક્ષી સ્પર્શ એમ બન્ને સ્પર્શ ન ગણવા, ખરખરો અને સુંવાળોએ બે પ્રતિપક્ષી છે. તેમ જ ભારે ને હળવો એ બે, ટાઢો અને ઊનો એ બે, ચોપડયો ને લુખો પરસ્પર પ્રતિપક્ષી છે તેથી) ૬ સ્પર્શ મળી ૨૩ બોલ લાભે તેથી આઠે સ્પર્શના ૨૩ X ૮ = ૧૮૪ ભેદ થયા. બધા મળી ૧OO+૪૬+૧૦૦+૧00 +૧૮૪ = ૫૩) ભેદ રૂપી અજીવ તત્ત્વના થયા, તેમાં અરૂપી અજીવ તત્ત્વના ૩૦ બોલ દર્શાવ્યા તે મેળવતાં અરૂપી તત્ત્વના પ૬૦ ભેદ થયા. (૩) પુણ્ય તત્ત્વ શુભ કમાણીએ કરી, શુભ કર્મના ઉદયે કરી જેનાં ફળ ભોગવતાં આત્માને મીઠાં લાગે તેને પુણ્ય કહે છે. પુણ્ય એ શુભકર્મ છે. મન, વચન કાયાના શુભ વ્યાપારથી આત્મા જે શુભ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે તે કર્મ પુદ્ગલોને પુણ્ય કહે છે, અને એ ત્રણે અશુભયોગોથી જે કર્મ પુદ્ગલો ગ્રહણ કરાય છે તે પાપ કહેવાય છે. પુણ્ય સુખરૂપ ફળ આપે છે. અને પાપ દુઃખ રૂપ ફળો આપે છે. જેવી રીતે સાંસારિક સુખનાં સાધનભૂત સ્થાન, વસ્ત્ર, ભોજનાદિ સામગ્રી પ્રાપ્ત કરવા જતાં પ્રથમ થોડું કષ્ટ પડે છે. પણ પછી લાંબા કાળ સુધી તે સુખ આપે છે. એવી જ રીતે પુણ્ય ઉપાર્જન કરવામાં પ્રથમ તો કષ્ટ સહન કરવું પડે છે, પણ પછી દીર્ઘકાલ પર્યત ઘણું સુખ મળે છે. કહેવત પણ છે કે, દુઃખને અંતે સુખ, પુણ્ય ઉપાર્જન કરવું મહામુશ્કેલ છે. પુદ્ગલો પરથી મમત્વ ઉતર્યા વિના, ગુણજ્ઞ થયા વિના આત્માને વશ કરી યોગોને શુભ કાર્યમાં લગાવ્યા વિના પુણ્યાનુબંધી પુણ્યોપાર્જન થતું નથી. પુણ્ય નવ પ્રકારે બંધાય છે. (૧) અન્નપુત્રે - (અન્નદાન આપવાથી), શ્રી જૈન તત્ત્વ સાર ૧૯૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy