SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રથી-લોકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે, કાળથી - અનાદિ અનંત છે. ભાવથી અરૂપી, અવર્ષે, અગંધ, અરસે અને અફાસે ગુણથી – જીવ પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયભૂત છે. - આકાશાસ્તિકાયના પાંચ ભેદ છે. આકાશાસ્તિકાય એ દ્રવ્યથી - એક જ છે. ક્ષેત્રથી – લોક અલોકમાં સંપૂર્ણ વ્યાપી રહેલ છે. (એ પોલાણ રૂપ છે. લોકાકાશમાં તો અનેક દ્રવ્યો છે. પણ અલોકાકાશમાં આકાશની પોલાણ સિવાય કોઈ પણ દ્રવ્ય નથી) કાળથી - અનાદિ અનંત છે. ભાવથી - અરૂપી, અવર્ષે, અગંધ, અરસે અને અસ્પર્શે ગુણથી અવગાહના દાન અવકાશ દેવાનો. કાળના પાંચ ભેદ છે. કાળએ દ્રવ્યથી - અનેક રીતે છે તેમાં અનંતકાળ વીત્યો અને ભવિષ્યમાં અનંત છે. ક્ષેત્રથી - વ્યવહાર થી તો અઢી દ્વીપમાં ચંદ્ર સૂર્ય ચાલે છે. તેથી સમય, ઘડી, પ્રહર, રાત, દિન, પક્ષ, માસ વર્ષ તે ઠેઠ સાગરોપમ વગેરે સુધી ગણાય છે. અઢીદ્વીપની બહાર ચંદ્ર સૂર્ય સ્થિર છે. તેથી ત્યાં રાત્રિ, દિન વગેરે કંઈ નથી. નરક અને સ્વર્ગમાં પણ રાત્રિ દિવસ છે નહિ. માટે અઢીદ્વીપની બહાર સર્વ સ્થળે કાળનું પરિમાણન નથી. છતાં અઢીદ્વીપના કાળની ગણતરી પ્રમાણે, જીવો વગેરેની સ્થિતિ બતાવી છે. બાકી મૃત્યુ કાળ તો ફક્ત સિધ્ધ ભગવંત સિવાય સર્વે જીવોને આયુષ્ય પૂર્ણ થયે સ્પર્શ કરી રહ્યો છે. કાળથી - આદિ અંત રહિત સ્પર્શ હંમેશથી છે. અને હંમેશ હશે. ભાવથી - અરૂપી, અવર્ણ, અગંધ, અરસે, અફાસે, ગુણથી- પર્યાયનું પરિવર્તન કરનાર, નવાને જૂનું કરે અને જૂનાને જિર્ણ કરે. એ રીતે સર્વે પર વર્તી રહ્યો છે. એમ એક એકના પાંચ ભેદ ગણતાં ૪ x ૫ = ર૦ ભેદ થયા તે પ્રથમના ૧૦માં મેળવતાં અરૂપી અજીવના વિસ્તારથી ૩૦ ભેદ થયા. એ ચારે અરૂપી અજીવ તત્ત્વ સદા શાશ્વતા છે. હવે રૂપી અજીવ તત્ત્વના વિસ્તારથી પ૩૦ ભેદ વર્ણવે છે. રૂપી અજીવના પ૩૦ ભેદ - રૂપી અજીવ તત્ત્વ તે પુદ્ગલ, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૫ સંઠાણ અને ૮ સ્પર્શ રહેલા છે. હવે પાંચ વર્ણમાંના એકેકા વર્ણમાં ૨ ગંધ, પ રસ, ૫ સંઠાણ અને ૮ સ્પર્શ એ ૨૦ બોલ લાભે તેથી (કાળો, લીલો, રાતો, પીળો ને ધોળો એ પાંચે વર્ણમાં) ૨૦ X૫ = ૧૦૦ ભેદ થયા. હવે સુરભિગંધ એટલે સુગંધ અને દુરભિગંધ એટલે દુર્ગધ એ બે ગંધમાંના દરેકમાં ૫ વર્ણ, પ રસ, ૫ સંઠાણ અને ૮ સ્પર્શ મળી ૨૩ બોલ લાભ ૧૯૬ સૂત્ર ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy