SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગોળા (અફીણના ગોટાની પેઠે ઘર) એક એક ગોળામાં અસંખ્યાતા શરીર (જમ પુદ્ગલ સ્કંધમાં પરમાણુની રચના છે તેમ) અને એક એક શરીરમાં અનંતા જીવ રહ્યા છે. સોયના અગ્ર ભાગ ઉપર રહેલી સાધારણ વનસ્પતિમાં રહેલાં જીવોનો વિચાર કરતાં એ વનસ્પતિને સ્પર્શ કરતાં પણ અનંત જીવોની હાનિ થવાથી કેટલું પાપ લાગે તે હેજે સમજી શકાય છે. જૈન તથા વૈષ્ણવોના ધર્મમાં બતાવ્યું છે કે એ સાધારણ વનસ્પતિનો આહાર કરવો એ મહાપાપનું કારણ છે. સાધારણ વનસ્પતિ અનંત જીવોનો પીંડ છે. જમીનમાંથી કંદમૂળ બહાર કાઢવાં એ સ્ત્રીનો કાચો ગર્ભ બહાર કાઢવા જેવું છે. જમીનમાં રહેતાં કંદમૂળ સદા કાચાં હોય છે. કોઈ દિવસ પાકતાં નથી, તેથી અભક્ષ્ય કહેલ છે. સાધારણ વનસ્પતિકાયના જીવો એક શ્વાસોચ્છવાસ જેટલા સમયમાં ૧ી વાર જન્મ મરણ કરે છે. એ લેખે એક મુહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર સ્થાવરકાયમાં અસંખ્યાતા જીવો હોય છે ત્યારે પાંચમી વનસ્પતિ કાયમાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંત જીવો હોય છે. વનસ્પતિકાયની ૨૪ લાખ જાતિ છે. (૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય) ૨૮ લાખ ક્રોડ કુળ છે. પ્રત્યેક વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય અંતમુહૂર્તનું ઉત્કૃષ્ટ ૧૦ હજાર વર્ષનું તથા સાધારણ વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તનું છે. કોઈ શંકા કરે કે સોયની અણી ઉપર રહેલી કંદમૂળની કટકી ઘણી નાની હોઈને જગા પણ બહુ જ થોડી રોકે છે. એટલી થોડી જગામાં અનંત જીવોનો સમાવેશ શી રીતે થાય? તો તેનો ઉત્તર એ છે કે એક માણસે કરોડ ઔષધિને ખૂબ વાટી તેનું ચૂર્ણ બનાવ્યું. હવે તેમાંથી સોયના અગ્રભાગ ઉપર જે તેલ કે ચૂર્ણ આવે તેમાં કરોડ ઔષધિ છે તેવી રીતે સમજવું હાલ પણ એક વીંટીમાં બાજરાના દાણા જેટલો કાચ હોય છે તેમાં મોટા મોટા માણસોના આઠ ફોટોગ્રાફ દેખાય છે કૃત્રિમ પદાર્થોમાં એટલી સત્તા છે તો પછી કુદરતી પદાર્થોનું તો શું કહેવું? માટે જિન પ્રભુનાં વચનોમાં જરા પણ સંદેહ લાવવો નહિ. 1 એક મુહૂર્તમાં પૃથ્વી, પાણી અગ્નિ, વાયુના જીવો જઘન્ય ૧ ભવ, ઉત્કૃષ્ટ ૧૨૮૨૪ ભવ કરે છે. પ્રત્યેક વનસ્પતિના જીવો ૩૨000 ભવ કરે. સાધારણ વનસ્પતિના જીવો ૬૫૫૩૬ ભવ કરે છે. બેઈન્દ્રિયના ૮૦, ઈન્દ્રિયના ૬૦, ચઉરિન્દ્રિયના ૪૦, અસંજ્ઞી પંચેન્દ્રિયના ૨૪ અને સંજ્ઞી પંચેન્દ્રિયના જીવો ૧ મુહૂર્તમાં ઉત્કૃષ્ટ ૧ ભવ કરે છે. સૂત્ર ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy