SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મોની ન્યૂનાધિકતાને લીધે જ જીવ ગુરુત્વ લઘુત્વને પ્રાપ્ત થાય છે. (હલકો ભારે બને છે.) તેથી જ તે ઊંચ નીચ યોનિમાં જાય છે. અનેક પ્રકારના શરીરો ધારણ કરી રૂપાંતર પામ્યા કરે છે. આ બધા જીવના પર્યાય કહેવાય છે. જીવ જુદાં જુદાં રૂપો ધારણ કરે છે તેથી તેના જુદા જુદા ભેદ કહેવાય છે. એવા ભેદો જ્ઞાનીની દૃષ્ટિએ તો અનંત છે, પણ મુમુક્ષુ જીવોને સુલભતાથી બોધ થવાને માટે શ્રી જિનેશ્વર દેવે તેનો મર્યાદિત સંખ્યામાં સમાવેશ કર્યો છે. જીવના ભેદોઃ- (૧) ભેદ - સર્વ જીવોનું ચૈતન્ય લક્ષણ એક છે તેથી સંગ્રહનયે એક ભેદ જીવ કહેવાય, (૨) ભેદ-સિદ્ધ અને સંસારી, (૩) ભેદ ત્રસ જ સ્થાવર અને સિદ્ધ, (૪) ભેદ - સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અને અવેદી, (૫) ભેદ – નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા અને સિદ્ધ, (૬) ભેદ - એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય, (૭) ભેદ – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય અને અકાય, (૮) ભેદ - નારકી, તિર્યંચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી દેવતા, દેવી અને સિદ્ધ (૯) ભેદ – નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા એ ચારના અપર્યાપ્ત છે અને પર્યાપ્તા મળી ૮ અને ૯ સિદ્ધ, (૧૦) ભેદ - પૃથ્વી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, ૧૦ મા સિદ્ધ (૧૧) ભેદ – પૃથ્વી અપ, તેલ, વાયુ, વનસ્પતિ એ ૫ સૂક્ષ્મ અને ૫ બાદર એમ દસ અને ૧૧ માં સિદ્ધ, (૧૨) ભેદ – પૃથ્વીકાય આદિ છકાયના અપર્યાપ્તા અને પર્યાપ્તા (૧૩) ભેદ - પૃથ્વી, અપ, તેલ, વાયુ વનસ્પતિ, ત્રસ એ છ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી બાર અને ૧૩ મા સિધ્ધ, (૧૪) ભેદ – નારકી, તિર્યંચ, તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી, ભવનપતિ, છ - ત્રસ એટલે હાલતા ચાલતા જીવ. તે બેઈન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધી અને સ્થાવર એટલે પૃથ્વીકાય વગેરે સ્થિર રહેનારા એકેન્દ્રિય જીવો. ક આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મન એ ૬ પર્યાપ્તિ છે. તેમાંથી પહેલી ત્રણ પર્યાપ્તિ બધો જીવ બાંધે છે. બાકીની પર્યાપ્તિમાંથી જે ગતિમાં જેટલી બાંધવાની હોય તેટલી પૂરેપૂરી ન બંધાઈ રહે ત્યાં સુધી અપર્યાપ્યો કહેવાય અને જેટલી બાંધવાની છે તેટલી બાંધી લે ત્યારે પર્યાપ્ત કહેવાય. 1 પાંચે સૂક્ષ્મ સ્થાવરકાય સંપૂર્ણ લોકમાં ઠાંસી ઠાંસ ભર્યા છે. તેમનું શરીર અત્યંત સૂક્ષ્મ હોવાથી ચર્મચક્ષુવાળા જોઈ શકતા નથી અને માટી પાણી આદિ જે જોઈ શકાય છે તે બાદર કહેવાય છે. | ૧૮૨ સૂત્ર ધર્મ અધિકાર | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy