SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ વાદળાંથી ઢંકાયેલ હોવા છતાં પણ સૂર્ય રાત્રિ કે દિવસનો વિભાગ દર્શાવી શકે છે. તેવી જ રીતે નિબિડ કર્મોથી આચ્છાદિત બનેલા આત્માના પણ જ્ઞાનાદિ ગુણો સર્વથા અપ્રકટ રહેતાં નથી. અર્થાત્ ચૈતન્યનું પ્રતિભાસન સદૈવ નિરંતર થયા જ કરે છે. અને તેનાથી અતિરિક્ત જડ તત્ત્વ છે. તે ચેતના રહિત છે. એટલે તેને જ્ઞાન ગુણ નથી. વાદળાંમાંથી પસાર થઈ આવતાં સૂર્યકિરણો સમાન કેવળજ્ઞાન કેવળ દર્શનનાં કિરણો તે મતિ, શ્રત, અવધિ, અને મનઃ પર્યવજ્ઞાન છે. અને ચક્ષુ અચકું અને અવધિ દર્શન છે. તે પૈકી મતિ, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ વિનાનો તો કોઈ પણ જીવ હોતો જ નથી. જેવી રીતે રંગીન કાચમાંથી પડતાં સૂર્યનાં કિરણો લાલ, લીલા વગેરે રંગના દેખાય છે. તેવી જ રીતે મિથ્યાત્વના ઉદયથી જ્ઞાનનો વિપરીત પ્રકાશ પડે છે. અને તેને જ અજ્ઞાન કહે જીવ જ્ઞાન દર્શનનો ધારક હોવાથી ચૈતન્ય કહેવાય છે. અને તેથી જ સુખ દુઃખને જાણે છે અને વેદ (ભોગવે) છે. અને વેદવાને કારણે તે કર્મથી બંધાય છે. અને છૂટે પણ છે. આમ કરતાં કરતાં કોઈ વખત કોઈ ભવ્યાત્મા કર્મરૂપ બધાં વાદળાંને દૂર કરી સંપૂર્ણ નિજ ગુણને પ્રગટ કરી કેવળજ્ઞાન કેવળદર્શનમય પરમાત્મા બની જાય છે. આ જ કારણે આત્મા અનંત શક્તિવંત કહેવાય છે. જેમ પરમાણુઓ એકઠા થઈ તેનો સ્કંધ બને છે. તેમ અસંખ્ય પ્રદેશાત્મક જીવ છે. પરમાણુઓનો તો સંયોગ વિયોગ થાય છે. એકઠાં મળે છે. અને વળી વિખરાઈ જાય છે, પણ આત્માના પ્રદેશ કદી વિખૂટા પડતાં નથી. અનંતકાળ પર્યત આત્મા અસંખ્યાત પ્રદેશમય રહે છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં બીજા ઠાણે બે પ્રકારના જીવ કહ્યા છે. “વી નવા વેવ મવી નવા વેવ'' અર્થાત્ જે કમરહિત, શુદ્ધ, સ્વચ્છ, સચ્ચિદાનંદ સિદ્ધ પરમાત્મા છે તે અરૂપી જીવ છે. અને અરૂપી હોવાને લીધે જ રૂપી કર્મો તેમને સ્પર્શી શકતાં નથી. તેથી તેમની અવસ્થા અથવા સ્વભાવનો પલટો કદાપિ થતો નથી. અનંતકાળ સુધી તેઓ એક જ અવસ્થામાં સંસ્થિત રહે છે. ' સંસારી જીવની બાબતમાં જેમ માટી અને સોનું અનાદિ કાળથી સાથે જ છે તેમ જીવ અને કર્મ અનાદિ કાળથી સાથે જ છે અને તે કર્મ પુદ્ગલો જ લોહચુંબકની પેઠે અન્ય કર્મ પુદ્ગલોનું આકર્ષણ કરી ગ્રહણ કરે છે. આ શ્રી જૈન તત્વ સાર ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy