SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળ્યું તો ઘણીવાર પણ પ્રભુએ કહ્યું છે તેમ “સદ્ધા પરમ દુહા '' શ્રદ્ધા પરમ દુર્લભ છે. ભગવાને જે કહ્યું છે તે સાચું છે કે ખોટું છે ? પાણીના એક ટીપામાં ભગવાને અસંખ્યાતા જીવો બતાવ્યા છે તે હશે કે નહિ? કંદમૂળમાં અનંત જીવો બતાવ્યા છે તે હશે કે નહિ ? સ્વર્ગ, નરક મોક્ષ હશે કે નહિ? આવી રીતે શંકાઓ કરે. જેથી શુદ્ધ શ્રદ્ધા રહેતી નથી. સ્વચ્છ પાણીમાં કાંકરીચાળો કરવાથી ડોળ ઉપર આવી જાય છે આવી રીતે શ્રદ્ધામાં પણ ખલેલ પડે છે. મિથ્યાત્વનો ઉદય છે તેથી મોક્ષ માર્ગ દૂર થતાં સતત પરિભ્રમણ થાય છે. માટે વીતરાગ પરમાત્માએ કેવળજ્ઞાન અને કેવળ દર્શનમાં જે જોયું છે, જાણ્યું છે. તે જ કહયું છે. ધર્મ તર્કનો વિષય નથી શ્રધ્ધાનો વિષય છે. જેમ મેલાં કપડાંને સાફ કરવા માટે સાબુનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ શાસ્ત્ર શ્રવણ રૂપી પાણી, શ્રદ્ધા રૂપી સાબુ દ્વારા મિથ્યાત્વ રૂપી મેલને દૂર કરી શુદ્ધ બનવાનું છે. તેથી શુદ્ધ શ્રદ્ધાને ધારણ કરવી એ જ મહત્વની વાત છે. (૧૦) વીર્યનું સ્કુરાયમાનઃ શ્રદ્ધા પ્રાપ્ત થઈ ગઈ પણ સંયમમાં વીર્યનું સ્કુરાયમાન કરવું એ એનાથી પણ દુર્લભ છે. ભગવાનનો ઉપદેશ તન સત્ય છે. છતાં અશુભનો ત્યાગ ન કરે અને શુભનો આદર ન કરે તો મોક્ષ પ્રાપ્તિ, આત્મ કાર્યની સિદ્ધિ શી રીતે થાય ? વ્રત, પ્રત્યાખ્યાન, સંયમ, એક માત્ર મનુષ્ય જ કરી શકે છે. મનુષ્યમાં પણ હળ કર્મી જ કરી શકે છે. દેવલોકના દેવતાઓ ઘણાં પ્રયત્ન કરે પણ તે કાંઈ જ પ્રાપ્ત કરી શકતા નથી. મનુષ્યમાં પણ ઉત્તમ સાધનો પ્રાપ્ત થવા છતાં પણ ઘણાં ધર્મથી વંચિત રહી જાય છે. તેના બે કારણ : : (૧) સ્વાભાવિક પ્રત્યાખ્યાનાવરણીય ચારિત્ર મોહના ઉદયથી પ્રત્યાખ્યાન કરી શકતા નથી. શ્રેણિક મહારાજા, કુષ્ણ વાસુદેવ વિગેરે ધર્મનું સ્વરૂપ જાણતાં હોવા છતાં પણ વતાચરણ રૂપ ધર્મ કરી શકતા ન હતા. (૨) યોગ્યતા : વ્રત, પ્રત્યાખ્યાન માટેની જેમણે યોગ્યતા પ્રાપ્ત કરી છે તેમણે પ્રમાદનો ત્યાગ કરી સર્વવિરતિપણું અંગીકાર કરવું જોઈએ, જો દીક્ષા લેવાની યોગ્યતા ન હોય તો શ્રાવકના વ્રતો અવશ્ય સ્વીકારવા જોઈએ. શ્રી જૈન તત્ત્વ સાર ૧૭૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy