SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ હિન ન હોય, (૧૪) અંગહીન ન હોય, (૧૫) કુસ્વરી ન હોય, (૧૬) બુધ્ધિમાન હોય, (૧૭) મિષ્ટ વચની હોય, (૧૮) કાંતિવાળો હોય, (૧૯) સમર્થ હોય, (૨૦) ઘણા ગ્રંથોનું અવલોકન કર્યુ હોય (૨૧) અધ્યાત્મ અર્થનો જાણ હોય, (૨૨) શબ્દના રહસ્યનો જ્ઞાત હોય, (૨૩) અર્થનો સંકોચ અને વિસ્તાર કરી જાણે, (૨૪) અનેક યુક્તિ તથા તર્કનો જ્ઞાતા હોય, (૨૫) સર્વે શુભગુણ યુક્ત હોય. એ ૨૫ ગુણ જેનામાં હોય તે જ અસરકારક અને યથાર્થ ઉપદેશ આપી શકે. એવા ગુણ યુક્ત સર્વક્તા સાધુનો જોગ મળવો ઘણો મુશ્કેલ છે. - સદ્ગુરુના સંગથી ૧૦ ગુણોની પ્રાપ્તિ થાય છે. એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે. ગાથા : સવ ના ય વિન્નો, પવરવાળે ય સંમે अणह्नए तवे चेव, वोदाणे अकिरिया सिद्धि ॥ (શ્રી ભગવતી સૂત્ર ૨/૫) (૧) શ્રવણથી, (૨) જ્ઞાનથી, (૩) વિજ્ઞાનથી, (૪) પચ્ચકખાણથી, (૫) સંયમથી, (૬) આશ્રવરૂધનથી, (૭) તપથી, () વ્યવદાનથી, (૯) અક્રિયાવંતથી, (૧૦) મોક્ષ એ પ્રમાણે સાધુના સંગ અને દર્શનથી મોટામોટા લાભ થાય છે. (૮) શાસ્ત્ર શ્રવણ : સદ્ગુરુનો યોગ હોય પણ સાંભળવા ન જાય માટે આઠમું સાધન શાસ્ત્રશ્રવણ પણ ઘણું મુશ્કેલ છે. એ તરફનો રસ હોય રૂચી હોય તો જ સાંભળવા જવાનું મન થાય ભાગ્યશાળી હોય એને જ આવો યોગ મળે. કોઈક તો એમ જ કહે કે સાધુ તો નવરા છે. એમને બીજું શું કામ હોય? આપણી પાછળ તો પરીવાર છે. આખો સંસાર પડ્યો છે. ઉપાધિ લાગી છે. આમ બહાના કાઢે છે. પણ કોઈ આવીને કહે કે આજે પિકચર સરસ મજાનું લાગ્યું છે. સુંદર મજાનું સરકસ આવ્યું છે, ટી. વી. પર સિરિયલ સુંદર છે તો જોવા, સાંભળવા તરત જ તૈયાર થઈ જાય છે. ત્યાં ગમે તેટલી મુશ્કેલી પડે તો સહન કરવા તૈયાર થઈ જાય છે. આવા અજ્ઞાની જીવનોના લમણે દુઃખ સિવાય બીજુ કાંઈ જ જોવા મળતું નથી. તેથી હે ભવ્ય આત્માઓ! હંમેશા સત્ શ્રવણ કરો. કાનને પવિત્ર કરો. શ્રી જૈન તત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy