SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ( દ્વિતીય ખંડ છે પ્રવેશિકા ઉત્તરાર્ધ ગાથા अत्थ धम्मगइं तच्चं अणुसटुिं सुणेह मे। આ “જેને તત્ત્વ સાર” નામના ગ્રંથના પ્રારંભમાં જે ગાથા લખી છે, તેના પૂર્વાર્ધનો વિસ્તાર કરી માંગલિક નિમિત્તે શ્રી પંચ પરમેષ્ઠિ પદને ગુણાનુવાદ યુક્ત વંદના નમસ્કાર કરવામાં પ્રથમ ખંડ પૂર્ણ થયો. તેમાં શ્રી અરિહંત દેવ એટલે તીર્થંકર પ્રભુ, સિદ્ધ ભગવાન, શ્રી આચાર્યજી શ્રી ઉપાધ્યાયજી અને શ્રી સાધુજી એ પંચ પરમેષ્ઠીના ગુણોનું સવિસ્તૃત વર્ણન પ્રથમ ખંડમાં કરવામાં આવ્યું છે. હવે એ ગાથાના ઉત્તરાર્ધ પદનું વર્ણન આ બીજા ખંડમાં આપવામાં આવ્યું છે. - આત્માનો ઇચ્છિત અર્થ સિધ્ધ થાય એટલે જન્મ, જરા અને મરણરૂપી મહાદુઃખોનો નાશ થઈ, અનંત, અક્ષય, અવ્યાબાધ એવં મોક્ષનાં સુખોની પ્રાપ્તિ કરે એવા, યથાતથ્ય સત્ય એવા, ઉત્તમ સુખના અર્થીઓ એટલે મુમુક્ષુઓને ગ્રહણ કરવા યોગ્ય કૃત અને ચારિત્રધર્મ જે ગુરુદેવની કૃપાથી જાણ્યો છે તેનો ઉપદેશ અન્ય ભવ્ય જીવોને કરવા અને એ રીતે મારી જ્ઞાનદાનરૂપી ફરજ બરાબર બજાવવા, આ બીજા ખંડમાં (૧) “ધર્મ પ્રાપ્તિ” (૨) “સૂત્ર ધર્મ” (૩) “મિથ્યાત્વ” (૪) “સમકિત” (૫) “શ્રાવક ધર્મ” અને (૬) “અંતિમ શુદ્ધિ” એવા છે પ્રકરણો ગોઠવી વર્ણન કર્યું છે. હે ભવ્ય જીવો! એ ઉત્તમ ધર્મને નિજ આત્માનું હિત કરનાર સમજી સારી રીતે મન, વચન અને કાયા એ ત્રણે યોગને સ્થિર કરી એક ચિત્ત થઈ શીખજો, જેથી તમને અકથ્ય આત્મિક સુખના લાભની પ્રાપ્તિ થશે. છબસ્થ હોવાથી અગર શરતચૂકથી મારાથી કંઈ દોષ થઈ જાય તો હું જ્ઞાની પુરુષ પાસે ક્ષમા માગું છું અને વિનંતિ કરું છું કે, હંસની પેઠે પાણીરૂપ દુર્ગુણોને દૂર કરી દૂધ રૂપ સદ્ગણોના ગ્રાહક બનીને જો પઠનપાઠન કરશો તો અકથ્ય આત્મિક સુખો પ્રાપ્ત કરી સ્વપરહિત સાધી શકશો. | ૧૬૮ શ્રી જૈન તત્વ સાર-દ્વિતીય ખંડ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy