SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુજીની બીજી ૩ર ઉપમા | (૧) “કાંસી પત્રઇવ’ – જેમ કાંસાનો વાટકો પાણીથી ભેદાય નહિ તેમ મુનિ મોહ, માયાથી ભેદાય નહિ. (૨) “સંખઇવ' - જેમ શંખને રંગ ચડે નહિ તેમ મુનિ સ્નેહથી રંગાય નહિ. (૩) “જીવ ગઇ ઇવ' - જેમ જીવને પરભવમાં જતાં તેની ગતિ કોઈ રોકી શકે નહિ તેમ મુનિ અપ્રતિબંધ વિહારી થઈ વિચરે છે. (૪) “સુવન્નઇવ’ – જેમ સોનાને કાટ લાગે નહિ તેમ સાધુને પાપરૂપ કાટ લાગે નહિ. (૫) “મિંગાવ' - જેમ અરીસામાં રૂપ દેખાય તેમ સાધુ જ્ઞાન વડે નિજાત્મ સ્વરૂપ દેખે. (૬) “કુમ્ભોઇવ' - જેમ કોઈ વનના સરોવરમાં ઘણા કાચબા રહેતા હતા. તેઓ આહાર કરવા માટે પાણીમાંથી બહાર નીકળતા, તે વખતે વનમાં રહેનાર અનેક શિયાળ તેમનો ભક્ષ કરવા આવતાં જેઓ હોંશિયાર હતા તેઓ શિયાળને જોઈ આખી રાત પોતાનાં પંચાંગ (ચાર પગ અને પાંચમું માથું એમ પાંચ અંગ) ઢાલ નીચે છુપાવી સ્થિર પડ્યા રહેતાં અને સૂર્ય ઉદય થવા ટાણે સૌ શિયાળ જતાં રહેતાં તેથી પોતાને ઠેકાણે (પેલા સરોવરમાં) પહોંચી સુખી થતા. પણ કેટલાક કાચબાઓ ઉતાવળા થઈ શિયાળિયાં જતાં રહ્યા છે કે નહિ તે જોવા ઢાલની બહાર માથું કાઢતાં કે તરત જ સંતાઈ બેઠેલાં પાપી શિયાળિયાં તેમના શરીર ખેંચી તોડી મારીને ખાઈ જતાં. એ પ્રમાણે સાધુ પાંચ ઇન્દ્રિયોને જ્ઞાનરૂપી ઢાલ નીચે આખી જિંદગી દબાવી રાખે છે. સ્ત્રી. આહાર વગેરે ભોગ રૂપી શિયાળના કબજામાં આવી પડતા નથી અને છેવટે શાંતિથી આયુષ્ય પૂર્ણ કરી મોક્ષરૂપી સરોવરમાં સમાઈ સુખી થાય છે. (૩) પદ્મકમળ ઇવ' - જેમ પદ્મ કમળ કાદવમાં પેદા થાય છે, પાણીમાં વૃદ્ધિ પામે છે. છતાં પાણીથી અસંગ રહે છે. લેખાતું નથી તેમ સાધુ સંસારમાં ઉત્પન્ન થયા મોટા થયા પણ ત્યાગી થયા પછી સંસારના ભોગમાં લેવાતા નથી. (૮) “ગગણ ઇવ' - જેમ આકાશને કોઈ થાંભલો નથી નિરાધાર છતાં આબાદ ટકી રહેલ છે તેમ સાધુ કોઈના આશ્રય વિના રહી આનંદથી સંયમરૂપી જીવન વ્યતીત કરે છે. સાધુજી અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy