SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયકમળ ખીલે છે, (૫) જેમ કમળ સદા પ્રફૂલ્લિત રહે છે તેમ સાધુ સદા ખુશી રહે છે, (૬) જેમ કમળ સદા સૂર્ય અને ચંદ્રની સન્મુખ રહે છે તેમ સાધુ તીર્થંકર દેવની આજ્ઞાની સન્મુખ રહે છે એટલે આજ્ઞાનુસાર વર્તે છે, (૭) જેમ પુંડરિક કમળ ઉજ્જવળ છે તેમ સાધુનું હૃદય પણ ધર્મધ્યાન તથા શુક્લધ્યાન વડે સદા ઉજ્જવળ છે. (૧૧) “રવિ” સાધુ સૂર્યતુલ્ય છે. (૧) જેમ સૂર્ય પોતાના તેજથી અંધકારનો નાશ કરી જગતના સર્વ પદાર્થોને પ્રકાશમાં લાવે છે તેમ સાધુ જીવ, અજીવ વગેરે નવ પદાર્થોનું ખરેખરું સ્વરૂપ ભવ્ય જીવોનાં હૃદયમાં પ્રગટ કરે છે, (૨) જેમ સૂર્યના ઉદયથી કમળોનું વન પ્રફુલ્લિત થાય છે તેમ સાધુના આગમનથી ભવ્યજીવોનાં મન પ્રફૂલ્લિત થાય છે, (૩) જેમ સૂર્ય રાત્રિના ચાર પહોરમાં એકઠા થયેલા અંધકારનો ક્ષણ માત્રમાં નાશ કરે છે. તેમ સાધુ અનાદિકાળના મિથ્યાત્વનો નાશ કરે છે, (૪) જેમ સૂર્ય તેજના પ્રતાપે દીપે છે તેમ સાધુ તપરૂપી તેજથી શોભે છે, (૫) જેમ સૂર્યનો પ્રકાશ થતાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓનું તેજ ઝાંખું પડી જાય છે તેમ સાધુના પધારવાથી મિથ્યાત્વીઓ અને પાખંડીઓનું તેજ મંદ પડી જાય છે, (૬) સૂર્યનોપ્રકાશ થતાં જેમ દેવતાનું (અગ્નિનું) તેજ ફિક્કું પડી જાય છે તેમ સાધુનો જ્ઞાન રૂપ પ્રકાશ ક્રોધરૂપી અગ્નિને મંદ કરે છે, (૭) જેમ સૂર્ય પોતાનાં હજા૨ કિરણોથી શોભે છે તેમ સાધુ જ્ઞાનાદિક હજારો ગુણો વડે તથા ચાર તીર્થના પરિવાર વડે શોભે છે. - - (૧૨) “પવણ” – સાધુ પવન તુલ્ય છે. (૧) જેમ પવન સર્વસ્થાનમાં ગમન કરે છે તેમ સાધુ સર્વ સ્થળે સ્વેચ્છાચારે વિચરે છે, (૨) જેમ પવન અપ્રતિબંધ વિહારી છે તેમ સાધુ ગૃહસ્થ વગેરેના પ્રતિબંધથી રહિત થઈને વિચરે છે, (૩) જેમ વાયુ હલકો છે તેમ સાધુ દ્રવ્યે ને ભાવે (ચાર કષાય પાતળા પાડયા છે) તેથી હલકા છે, (૪) જેમ વાયુ ચાલતાં ચાલતાં કયાંનો ક્યાં નીકળી જાય છે તેમ સાધુ પણ અનેક દેશમાં વિચરે છે, (૫) જેમ વાયુ સુગંધી અને દુર્ગંધીનો પ્રસાર કરે છે તેમ સાધુ ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ વગેરે શુભ અશુભ પદાર્થોનું સ્વરૂપ બતાવે છે, (૬) જેમ વાયુ કોઈનો અટકાવ્યો અટકે નહિ તેમ સાધુ મર્યાદા ઉપરાંત કોઈના રોક્યા રોકાય નહિ, (૭) જેમ વાયુ ઉષ્ણતાને મટાડે છે તેમ સાધુ સંવેગ વૈરાગ્ય અને સોધરૂપી પવનથી આધિ, વ્યાધિ, ઉપાધિ રૂપી ઉષ્ણતાને નિવારી શાંતિ શાંતિ પ્રસરાવે છે. શ્રી જૈન તત્ત્વ સાર ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy