SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ હંમેશાં યથાશક્તિ વૃધ્ધિ કરે, (૨૪) ઉપધિનો :- વસ્ત્ર, પાત્ર, સૂત્ર, શિષ્ય વગેરેનો અહંકાર કરે નહિ, (૨૫) મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદનો સદા ત્યાગ કરે, (૨૬) થોડું બોલે અને જે જે વખતે જે જે ક્રિયા કરવાની છે તે બરાબર કરે, (૨૭) આર્ત્ત, રૌદ્ર એ બે ધ્યાન છોડીને ધર્મ અને શુક્લ એ બે ધ્યાન હંમેશાં ધ્યાવે, (૨૮) મન, વચન અને કાયાને સદા શુભ કાર્યમાં પ્રવર્તાવે, (૨૯) મારણાંતિક વેદના આવે તો પણ પરિણામની ધારા ધર્મમાં સ્થિર રાખે, (૩૦) સર્વ સંગનો ત્યાગ કરે, (૩૧) ગુરુની પાસે આલોયણા, નિંદા કરે એટલે ગુપ્ત પાપનો પ્રકાશ કરી પ્રાયશ્ચિત્ત લે અને પોતાના આત્માની નિંદા કરે, (૩૨) મરણનો અવસર નિકટ જાણી સંથારો કરે, આહાર અને શરીરનો પણ ત્યાગ કરી સમાધિભાવમાં દેહોત્સર્ગ કરે. આ ૩૨ બાબતોનો સાધુએ સંગ્રહ કરી એટલે હૃદયમાં ધારી તે પ્રમાણે ચડતા પરિણામે હંમેશા યથાશક્તિ પ્રવૃત્તિ કરવી. પુરુષાર્થ કરવાથી દરેક ચીજ સાધી શકાય છે. માટે ઉદ્યમ કરવો. આ ૩૨ યોગ શ્રી ‘‘સમવાયાંગ” સૂત્રમાં છે. એ પ્રમાણે સાધુને માટેની અનેક ક્રિયાઓનું શાસ્ત્રમાં વર્ણન છે, એ વર્ણન પ્રમાણે જે પવિત્ર આત્માને સંપૂર્ણ ગુણ પ્રાપ્ત થાય તો તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. આ પંચમકાળમાં સંપૂર્ણ ગુણધારી મહાત્મા મળવા મુશ્કેલ છે. છતાં એમ કદી ન માનવું કે પાંચમા આરામાં સાધુ જ નથી. એ બાબતનું સમાધાન કરવા શાસ્ત્રમાં ૬ પ્રકારના નિયંઠા (નિગ્રંથ) કહ્યા છે. ૬ પ્રકારના નિયંઠા (નિગ્રંથ) જેઓ દ્રવ્યથી પરિગ્રહની ગાંઠ બાંધે નહિ અને ભાવથી આઠ કર્મોનો તથા રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વનો નાશ કરે તેઓને નિયંઠા (નિગ્રંથ) કહે છે. એના ૬ પ્રકાર છે. (૧) “પુલાક નિયંઠા” : જેમ કમોદ તથા ઘઉંનું ખેતર લણી તેનો પરાળ સહિત ઢગલો કરે, તેમાં ઘણા થોડા અને ખડનો ભાગ ઘણો તેમ પુલાક નિયંઠામાં ગુણ થોડા અને દુર્ગુણ ઘણા હોય છે. પુલાક નિયંઠાના બે ભેદ છે. (૧) લબ્ધિ પુલાક - કોઈએ મોટો અપરાધ ર્યો હોય તો તે પ્રસંગે પુલાક લબ્ધિથી ચક્રવર્તીની સેનાને પણ બાળી નાખે, એ સાધુજી અધિકાર ૧૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy