SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ આ ર૧ દોષિત કામ કરવાથી સંયમ રૂપી ધનનો નાશ થાય છે. એ ૨૦ અસમાધિ દોષ અને ૨૧ સબળા દોષનુ વર્ણન “દશાશ્રુત સ્કંધ” સૂત્રના પહેલા-બીજા અધ્યયનમાં છે. ૩ર યોગસંગ્રહ યોગ એટલે મન, વચન કાયાના શુભ યોગનો ૩૨ પ્રકારનો સંગ્રહ જે વડે યોગાભ્યાસ રૂડી રીતે થઈ શકે એવાં ૩ર કામો યોગીઓને હૃદયકોશમાં સંગ્રહી રાખવા યોગ્ય હોવાથી તેને યોગસંગ્રહ કહેવામાં આવે છે. (૧) જે દોષ લાગ્યો હોય તે તુરત ગુરુની પાસે કહે, (૨) શિષ્યનો વાંક બીજાની આગળ ગુરુ પ્રકાશે નહિ, (૩) કષ્ટ પડે તો પણ ધર્મમાં દઢ રહે, (૪) તપસ્યા કરીને આ લોકમાં યશ મહિમાની, સુખની ઇચ્છા, તેમ જ પરલોકમાં દેવપદ, રાજપદ મળે તેવી ઇચ્છા કરે નહિ, (૫) “આસેવના' (જ્ઞાનાભ્યાસ સંબંધી) “ગ્રહણા' (આચાર તે ગોચરી સંબંધી), શિક્ષા (શિખામણ) કોઈ આપે તો તે હિતકારી માને, (૬) શરીરની શોભા વિભૂષા (ટાપ ટીપ, ઠાઠમાઠ) કરે નહી, (૭) ગુપ્ત તપ કરે, (ગૃહસ્થને ખબર ન પડવા દે કે સાધુને તપ છે.) તથા લોભ કરે નહિ, (૮) જે જે કુળોમાં ભિક્ષા લેવાનું શ્રી પ્રભુજીનું ફરમાન છે તે તમામ કુળોમાં ગોચરી અર્થે જાય, (૯) પરિષહ આવે તો ચડતા પરિણામ રાખી સહન કરે પણ ક્રોધ ન કરે, (૧૦) સદા સરળતાથી એટલે નિષ્કપટપણાથી વિચરે, (૧૧) સંયમ (આત્મ દમન) કરે, (૧૨) સમકિત સહિત એટલે શુધ્ધ શ્રધ્ધાયુક્ત રહે, (૧૩) ચિત્તને સ્થિર કરે, (૧૪) જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારમાં પ્રવર્તે, ૧૫) વિનય એટલે નમ્રતા સહિત પ્રવર્તે, (૧૬) તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન વગેરેમાં સદા વીર્ય પરાક્રમ ફોરવે, (૧૭) સદા વૈરાગ્યવંત રહે, (૧૮) નિજ આત્માના ગુણને એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રને રત્નના ખજાનાની પેઠે બંદોબસ્ત કરી સાચવે, (૧૯) “પાસત્થાના” એટલે જેઓ ઢીલાને શિથિલ પડી ગયા છે તેમના જેવાં પરિણામ ન આવતાં ચડતા અને વધતા પરિણામથી રહે, (૨૦) ઉપદેશ રૂપે કે પ્રવૃત્તિરૂપે પણ સદા સંવરકરણીને પુષ્ટિ મળે તેમ રહે, (૨૧) પોતાના આત્માના જે જે દુર્ગુણો ધ્યાનમાં આવે તેને ટાળવાના ઉપાય કરે, (૨૨) કામ (શબ્દ, રૂપ સંબંધી), ભોગ (બંધ રસ અને સ્પર્શ સંબંધી)નો સંજોગ મળે તો લુબ્ધ ન થાય, (૨૩) નિયમ, અભિગ્રહ, ત્યાગ, વૈરાગ્યની શ્રી જૈન તત્ત્વ સાર ૧૫૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy