SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ “લબ્ધિ પુલાક નિગ્રંથ” કહેવાય, (૨) “આસેવના પુલાક” - તે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના કરે. આ પ્રકારના નિયંઠા હાલ છે નહિ. ૨) “બકુશ નિયંઠા” - કમોદ તથા ઘઉંના છોડના પરાળ સહિત ઢગલો હોય તેમાંથી ઘાસ જુદું પાડી નાખે અને ઉંબીઓનો ઢગલો કરે તો તે ઢગલામાં પ્રથમના કરતાં ઘાસ થોડું છે તો પણ દાણા કરતાં વધારે છે તે પ્રમાણે બકુશ નિગ્રંથમાં પણ ગુણ થોડા ને દુર્ગુણ વધારે હોય. બકુશ નિયંઠાના વળી બે ભેદ છે. (૧) “ઉપકરણ બકુશ” તે વસ્ત્રને પાતરાં (પાત્ર-ભાજની વિશેષ રાખે, ખારા વગેરેથી ધોવે તે, (૨) “શરીર બકુશ” તે હાથ પગ ધોવે, કેશ નખ સમારે, શરીરની વિભૂષા કરે પરંતુ કર્મ ખપાવવાનો ઉદ્યમ તો કરે. (૩) “કષાય કુશીલ નિયંઠા” - ઘઉં અને કમોદના છોડની ઉંબીના ઢગલામાંથી માટી, કચરો વગેરે તારવી, ખળામાં બળદના પગથી કચરાવી દાણા છૂટા પાડ્યા તે વખતે દાણા અને કચરો લગભગ બરાબર હોય છે, તેમ કષાય કુશીલ નિગ્રંથ સંયમ પાળે, જ્ઞાનાભ્યાસ કરે, તપશ્ચર્યા યથાશક્તિ કરે, બીજી પણ ક્રિયાઓ કરે. છતાં કષાયનો થોડો ઉદય થાય તે જ્ઞાન વડે દબાવે, પણ આખરે હૃદય બળ્યા કરે, કોઈનાં કડવાં વેણ અને નિંદા સાંભળી થોડો (સંજ્વલનનો) ક્રોધ કરે, પોતાનાં જ્ઞાન, ક્રિયા, તપ વગેરેનાં વખાણ સાંભળી અભિમાન કરે, ક્રિયા કરવામાં તથા અન્ય મતવાળાની સાથે ચર્ચા કરી તેનો પરાજય કરવામાં માયા કપટ કરે, તેમ શિષ્ય, સૂત્રની વૃદ્ધિનો લોભ પણ કરે. એ ચારે કષાય થોડા થોડા આવે તો પણ આત્માની નિંદા કરી તરત શલ્યરહિત થઈ જાય. (૪) પ્રતિસેવના નિયંઠા” - ખળામાં ઉંબીઓ કચરાયા પછી, પવન હોય ત્યારે તેને ઊપણે છે, એ ઊપણેલા ઢગલામાં દાણા ઘણા અને તણખલા - કચરો – થોડો હોય છે. તે પ્રમાણે પ્રતિસેવના નિયંઠાવાળો સાધુ, મૂળ ગુણમાં, પાંચ મહાવ્રતમાં અને રાત્રિ ભોજનમાં જરા પણ દોષ લગાડે નહિ. પણ દસ પચ્ચકખાણ વગેરે ઉત્તમ ગુણોમાં શૂન્ય ઉપયોગને લીધે જરા જરા દોષ લગાડે છે. એવા દોષની ખબર પડે ત્યારે તુરત પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય છે. (૫) "નિગ્રંથ નિયંઠા” – ખળામાં ચોખ્ખા કરેલા દાણાને પાથરી આંખે જોઈ હાથથી તમામ કાંકરા અને કચરો કાઢી વિશેષ શુદ્ધ કરે છે. તેવી રીતે નિગ્રંથ નિયંઠાનું સમજવું. શ્રી જૈન તત્ત્વ સારી ૧૫૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy