SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિર કરે. સન્માર્ગ પર સ્થાયી દૃઢ કરે તે વિક્ષેપણી કથા, (૩) જે કથા સાંભળતાં સાંભળનારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉપજે અને મોક્ષની ઇચ્છા થાય તે સંવેદણી કથા. (૪) જે કથા સાંભળતાં સંસાર ઉપરથી મન ઊતરી, સંયમ લેવાની ઇચ્છા થાય તે નિર્વેદની કથા. (૩) નિરપવાદ પ્રભાવના : સ્વમત અને પરમત શાસ્ત્રના જાણકાર હોય. વાદી પ્રતિવાદી રૂપે ખરાખોટાં પક્ષનું સ્વરૂપ બતાવી સ્વમત સ્થાપે તે. (૪) ત્રિકાળજ્ઞ પ્રભાવના : જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્રોમાં ખગોળ, ભૂગોળ, નિમિત્ત, જ્યોતિષમાં પારંગત હોય, ભૂત, ભવિષ્ય, વર્તમાન એ ત્રણે કાળની સારી અને નઠારી તમામ વાતનું જ્ઞાન હોય. (૫) તપ પ્રભાવના : તપશ્ચર્યા કેવી રીતે કરવી, કરાવવી, શું લાભ થાય ? પોતે તપશ્ચર્યા કરી લોકો પર પ્રભાવ પાડે. (૬) વ્રત પ્રભાવના : વિગયનો ત્યાગ, અલ્પ ઉપધિ, મૌન અભિગ્રહ, ભરયુવાનીમાં ઇન્દ્રિય નિગ્રહ કરી લોકોને આશ્ચર્ય પમાડી પ્રભાવના કરે. (૭) વિદ્યા પ્રભાવના : રોહિણી પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓનો સકારણ ઉપયોગ કરે, જનશ્રધ્ધા સ્થિર કરી પ્રભાવના કરે. (૮) કવિ પ્રભાવના : છંદ, કવિતા, સ્તવન દ્વારા જનસમૂહને એક ચિત્ત સ્થિર કરી પ્રભાવના કરે. આ આઠ પ્રભાવના દ્વારા જૈનમતને દીપાવે. “યોગ નિગ્રહ” મન, વચન અને કાયા એ ત્રણ યોગને સંયમમાં રાખે. એ પ્રમાણે ઉપાધ્યાય (૧ થી ૧૨) અંગના જાણકાર (૧૩-૧૪) કરણ સિત્તરી અને ચરણ સિત્તરીના ગુણો સહીત (૧૫ થી ૨૨) આઠ પ્રભાવનાથી યુક્ત (૨૩ થી ૨૫) ત્રણ યોગને વશ રાખે. કુલ ૨૫ ગુણ શ્રી ઉપાધ્યાય ભગવંતના પૂર્ણ થયા. શ્રી ઉપાધ્યાયની ૧૬ ઉપમાઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧માં અધ્યયનમાં ઉપાધ્યાયજી ભગવંતને ૧૬ ઉપમાથી અલંકૃત કહ્યા છે. |૧૪૦ Jain Education International ઉપાધ્યાય અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy